________________
૨૯૪
પદ્દન પરાભૌતિક (metaphysical) છે જ્યારે કેટલાક ગુણો આત્મિક (psychic) છે. અલબત્ત, ન્યાય-વૈશેષિક દર્શને ગુણોને આ વિભાગ આપ્યો નથી. પ્રાચીન કાળમાં દાર્શનિક ચિંતનના પ્રથમ પ્રયત્નમાં ભૌતિક વિજ્ઞાનની અને પરાભૌતિક વિજ્ઞાનની સમસ્યાઓ સેળભેળ થઈ ગઈ હોય એવું જણાય છે. પરંતુ આપણે પરાભૌતિક ભાગને ભૌતિક રાસાયણિક ભાગથી અલગ કરવો જોઈએ.
ન્યાય-વૈશેષિક દર્શને ચચેલી ભૌતિક રાસાયણિક સમસ્યાઓનું મહત્વ અત્યારે આપણે માટે કેવળ ઐતિહાસિક જ છે. ઉદાહરણથં, ન્યાય-વૈશેષિક માને છે કે પાણીમાં મધુર રસ, સાંસિદ્ધિક દ્રવત્વ અને સ્નેહ ગુણો હોય છે. સામાન્યપણે પાણીમાં પિતામાં કઈ સ્વાદ – મધુર કે અન્ય – જણાતો નથી એવી શંકાના સમાધાનમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે સામાન્યપણે પાણીમાં તેનો મધુર સ્વાદ અનુ
ભુત (=અવ્યક્ત, unmanifest) હોય છે, પરંતુ હડેથી તે ઉભુત થાય છે.૨૩ વળી, જે સાંસિદ્ધિક દ્રવ પાણીને ગુણ હોય તો બરફ, કરાંમાં કાઠિન્ય કેમ જણાય છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક કહે છે કે બરફ, કરાંમાં ખરેખર કાઠિન્ય છે જ નહિ પણ આપણને તેના હોવાને કેવળ બ્રમ થાય છે. ૨૪ પ્રશસ્તપાદ અનુસાર સ્નેહ નાના કણોના સંગ્રહનું જ કેવળ કારણ નથી પણ મૃજનુંય . કારણ છે.૨૫ અને શ્રીધર અનુસાર સ્નેહ મૃદુત્વનું પણ કારણ છે. કેશવમિશ્ર કહે છે કે સ્નેહને અર્થ ચિકણુતા છે.૨૭ જ્યારે શંકા કરવામાં આવે છે કે ચિક્કણતા તે ઘી, તેલ જેવા તૈલી પદાર્થોને ગુણ છે ત્યારે ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે તૈલી પદાર્થોની ચિકણુતા તે તે પદાર્થોના આરંભક પાર્થિવ પરમાશુઓ સાથે સંયુક્ત જલીય પરમાણુઓને કારણે છે. ૨૮ પરંતુ ન્યાય-વૈશેષિકેની આ માન્યતાની વધુ વિચિત્રતા તે એ છે કે જે ચિકણતાને તૈલી પદાર્થોમાં તેમના આરંભક પરમાણુઓ સાથે જલીય પરમાણુઓના સંયોગને કારણે માની છે તે ચિકણુતાની માત્રાને તેઓ પાણીની ચિક્કણતાની માત્રા કરતાં ઘણી વધુ માને છે અને તેમ માનવામાં તેઓ એવું કારણ આપે છે કે તૈલી પદાર્થોમાં ચિક્કણતાની માત્રા વધુ હોઈ તેઓ જવલનને ઉદ્દીપ્ત કરે છે જ્યારે પાણીમાં ચિકણુતાની માત્રા ઓછી હોઈ તે જ્વલનને બુઝાવી નાખે છે. આમ પરમાણુરૂપ ભૌતિક તત્વોના ભૌતિક ગુણોના આવા વર્ણનનું મહત્ત્વ કેવળ ઐતિહાસિક છે.
કેટલાક ગુણ પરાભૌતિક પાસું ધરાવે છે. એટલે આપણે આ ગુણોની ચર્ચા વિસ્તારથી કરવી જોઈએ. વીસ ગુણમાં ગંધ, રસ, રૂપ અને સ્પર્શ અનુક્રમે પાર્થિવ પરમાણુ, જલીય પરમાણુ, અગ્નિપરમાણુ અને વાયવીય પરમાણુના વિશેષગુણ છે. શબ્દ આકાશનો ગુણ છે. ગુરુત્વ પૃથ્વી અને પાણીને ગુણ છે.