________________
૨૨૬
પડદ ન
પ્રતિબંધકા સ ંપૂર્ણ દૂર થઈ જતાં તે વખતે તેમની વચ્ચે વિષય-વિષયિભાવરૂપ સંબંધ સ્થપાય છે. મુક્તિમાં નિત્ય સુખ અને તેના અનુભવ વચ્ચે સ્થપાયેલ વિષય—વિષયિભાવરૂપ સબંધ ઉત્પન્ન થયેલા ભાવ પદાર્થ હોવા છતાં તેના વિનાશનું કેાઈ કારણ ન હેાવાથી કદીય નાશ પામતા નથી. તેથી મુક્તિમાં નિત્ય સુખ અને તેનું જ્ઞાન અને સદા અભિવ્યક્ત રહે છે. આમ નિત્યસ વેદ્ય નિત્યસુખવિશિષ્ટ આત્યન્તિક દુઃખનિવૃત્તિ જ મેાક્ષ છે, કેવળ દુ:ખનિવૃત્તિ મેાક્ષ નથી. પરંતુ આ મત તેા કેટલાક ગણ્યા-ગાંથા બળવાખાર તૈયાયિકાને છે. આ મતને મોટાભાગના તૈયાયિકા સ્વીકારતા નથી. ગૌતમ, વાત્સ્યાયન, જયંત ભટ્ટ, ઉદયનાચાય, ગંગેશ ઉપાધ્યાય જેવા તૈયાયિક કેવળ આત્યન્તિક દુ:ખનિવૃત્તિને જ મેક્ષ માને છે; તે મુક્તિમાં નિત્ય સુખ અને તેનું નિત્ય જ્ઞાન
સ્વીકારતા નથી.
મુક્તિના ઉપાય
ન્યાય-વૈશેષિકા માને છે કે તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે.૧૭૭ ન્યાયસૂત્રકાર ન્યાય-વૈશેષિક દનને અધ્યાત્મવિદ્યા ગણાવી તત્ત્વજ્ઞાનના અથ કરે છે આત્મા વગેરેનું જ્ઞાન.૧૭૮ ખરેખર તે। . આત્માનું જ્ઞાન યા આત્માને સાક્ષાત્કાર જ તત્ત્વજ્ઞાન છે. પરંતુ આત્મસાક્ષાત્કાર અન્ય પદાર્થીના સ્વરૂપને જાણ્યા વિના થતા નથી. એટલે તત્ત્વજ્ઞાનથી આત્મ-અનાત્મ બધા પદાર્થાનું સ્વરૂપજ્ઞાન સમજવામાં આવે છે.
આત્માને આત્મરૂપે ન જાણવા અને અનાત્મ શરીર, ઇન્દ્રિય, રૂપ વગેરે વિષયા, મન, વગેરેને અનાત્મરૂપે ન જાણવા પણ ઊલટું અનાત્મ શરીર વગેરેતે આત્મા ગણવા એ મિથ્યાજ્ઞાન છે. આમ મિથ્યાજ્ઞાન ભાવરૂપ છે, તે કેવળ તત્ત્વજ્ઞાનના અભાવરૂપ નથી. આ મિથ્યાજ્ઞાન સંસારનું ખીજ છે. અનાત્મ શરીર, વગેરેને આત્મા માની ‘શરીર વગેરે હું ' એવા અહંકાર કરનાર વ્યક્તિ શરીર વગેરેમાં માહ પામે છે, રાગ કરે છે, અને શરીર વગેરેતા નાશ ન થાય એમ ઈચ્છે છે; પરિણામે તે વારવાર શરીફ્ વગેરેને ધારણ કરે છે; વારંવાર તેમને ધારણ કરતા તે જન્મ-મરણ પામ્યા કરે છે અને દુ:ખમાંથી છૂટકારા પામતા
નથી.૧૭૯
અનાત્મ દેહ વગેરેમાં આત્મષુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાનનુ વિપરીત જ્ઞાન છે અનાત્મ દેડ વગેરેમાં અનાત્મહિ. આ જ તત્ત્વજ્ઞાન છે.૧૯૦ તત્ત્વજ્ઞાનને ઉય થતાં