SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદન ૨૧૩ કંઈ નિમિત્તકારણ હોય છે. ગરમી, શરદી, વર્ષા વગેરે તેમનાં નિમિત્તકારણા છે. “પરંતુ નવજાત શિશુનાં હાસ્ય, કંપ, રુદનનાં નિમિત્તકારણેા શાં છે તે જણાવવુ જરૂરી છે. કમળની જેમ શિશુનું મુખ ક્ય`કિરણના સ્પર્શીથી વિકસતું નથી અને રાત્રિકાળે નિયમથી તે વિલાઈ જતું નથી. તેથી નવજાત શિશુનાં હાસ્ય અને રુદન તેના દેહની સામયિક અવસ્થામાત્ર નથી.૧૨૧ જો તેમ હાય તા જ્યારે દેહાત્મ'વાદી નવજાત શિશુનું મધુર હાસ્ય જોઈ હાસ્ય કરે છે અને તે સ્નેહમય શિશુનુ મૃત્યુ થતાં રુદન કરે છે ત્યારે તે હાસ્ય-રુદન પાતાના દેહના વિકારમાત્ર છે એમ શુ તે કહેશે ? જો પેાતાનાં હાસ્ય-રુદનનાં નિમિત્તકારણે તરીકે તે હર્ષોંશાકને સ્વીકારે તેા નવજાત શિશુનાં હાસ્ય-રુદનનાં નિમિત્તકારા તરીકે પણ તેણે હર્ષોં-શાક સ્વીકારવા જોઈ એ. જો યુવક, વૃદ્ધ વગેરે બધાંનાં હાસ્ય અને સ્તનનાં કારણેા અનુક્રમે હર્ષ અને શાક છેએ વસ્તુ સવ સમ્મત છે તે નવજાત શિશુના હાસ્ય અને રુદનનાં કાઈ નવાં જ કારણેાની કલ્પના કરવી ઉચિત નથી. તેથા નવજાત શિશુનાં હાસ્ય-રુદન દ્વારા તેના હ-શાકનુ અનુમાન થાય છે અંતે એના એ હષઁ -શાક દ્વારા ઉપર દર્શાવ્યા પ્રમાણે એના પૂર્વ જન્મનું અનુમાન થાય છે. નવજાત શિશુને સ્તન્યપાનની ઇચ્છા થાય છે. આ ઈચ્છા તેને પૂર્વ જન્માના અભ્યાસને પરિણામે થાય છે. નવજાત શિશુની સ્તન્યપાનની ઈચ્છા ઉપરથી તેને પૂર્વજન્મ પુરવાર થાય છે. આને વિસ્તારથી સમજીએ. નવજાત શિશુ જ્યારે પ્રથમ વાર સ્તન્યપાન કરે છે ત્યારે તેના દેહની લાક્ષણિક ચેષ્ટાદેખીને તેની સ્તન્યપાન માટેના પ્રયત્નરૂપ પ્રવૃત્તિનું અનુમાન થાય છે કારણ કે પ્રવૃત્તિ વિના ચેષ્ટા જન્મે નહિ. તેની એ પ્રવૃત્તિ દ્વાશ તેની તે વિષયની ઈચ્છાનું અનુમાન થાય છે, કારણ કે ઇચ્છા વિના પ્રવૃત્તિ થતી નથી. ઈચ્છા ઉપરથી જ્ઞાનનું અનુમાન થાય છે. કાણુ કે જ્ઞાન વિના ઈચ્છા જન્મતી નથી. જે વિષયની આબતમાં ‘આ સુખકર છે’ એવું જ્ઞાન જન્મે છે તે વિષયને વિશે તે જ્ઞાનજન્ય ચ્છિા જન્મે છે અને તે વિષયને અનુલક્ષી તે ઈચ્છાજન્ય પ્રયત્નરૂપ પ્રવૃત્તિ જન્મે છે અને છેવટે તે પ્રવૃત્તિ શરીરની અનુકૂળ ચેષ્ટાને જન્માવે છે. આ રીતના કાર્ય કારણભાવ સ`સંમત છે. બાળક, યુવક અને વૃદ્ધ બધાં જ ભૂખ્યાં થતાં ‘આહાર ક્ષુધાનિવતક છે’ એવી સ્મૃતિને લઇને આહારની ઇચ્છા કરે છે અને તે બધાંને પહેલાં આહારના કરેલા અનુભવેાના સંસ્કારના કારણે જ ‘આહાર. ક્ષુધાનિવ`ક છે’ એવી સ્મૃતિ જન્મે છે એ પણ સ`સ ંમત છે. તેથી ઉક્તરૂપ સર્વસંમત કાય કારણભાવ અનુસાર નવજાત શિશુને પણ સો પ્રથમ જે સ્તન્યર પાનની ઈચ્છા જાગે છે તેના કારણરૂપે ઇચ્છા પહેલાં આહાર ક્ષુધાનિવ`ક છે”
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy