SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ કેઈ અહીં શંકા ઉઠાવે છે કે આત્માને બધાં શરીરમાં એક માનીને પણ ઉપરની વ્યવસ્થા નીચે પ્રમાણે સમજાવી શકાય. આત્મા જે દેહથી અમુક વસ્તુને અનુભવ કરે છે તે દેહથી જ તે અનુભૂત વસ્તુનું સ્મરણ કરે છે. તેથી એક શરીરાવચ્છિન્ન આત્માએ અનુભવેલ વસ્તુનું અન્યશરીરાવચ્છિન્ન આત્મા – તેને તે જ હોવા છતાં – સ્મરણ કરી શકતો નથી૧૧૪ ન્યાય-વૈશેષિક કહે છે કે આમાં મુશ્કેલી છે. જુદાં જુદાં શરીરનું. કારણ શું ? આત્મા એક જ હોવા છતાં જુદાં જુદાં શરીરોથી અવચ્છિન્ન કેમ થાય છે? જુદી જુદી જાતનાં શરીરનું કારણ તે જુદાં જુદાં કર્મો છે–ધમધમી વિશેષ છે. જે આત્માને એક માનવામાં આવે તે ધર્માધર્મ વિશેષ ઘટી શકે નહિ અને તેથી ધમધર્મ વિશેષોને કારણે ઉત્પન્ન થતાં જુદી જુદી જાતનાં શરીર પણ ઘટી શકે નહિ. આમ આત્માને એક માનતાં ધમધર્મની વ્યવસ્થા રહેતી નથી અને પરિણામે શરીરની વ્યવસ્થા રહેતી નથી; અને જે શરીરની વ્યવસ્થા ન રહે તે સુખદુઃખોત્પત્તિની વ્યવસ્થા પણ કયાંથી રહે ? આ બધી મુશ્કેલીઓમાંથી ઉગરવા અનેક આત્માઓ માનવા જ જોઈએ.૧૧૫ , છે. વળી, કેઈ ન્યાય-વૈશેષિકને પ્રશ્ન કરે છે કે બાલ્યવગેરે અવસ્થાભેદે શરીરભેદ નથી માનતા તો સુખદુઃખાદિભેદે આત્મભેદ કેમ માને છે ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે બાલ્ય, વગેરે વિરોધી અવસ્થાઓ કમથી શરીરમાં થાય છે એટલે શરીરમ્મદ માનવાની જરૂર નથી. વિરોધી અવસ્થાઓ કે ગુણે એક જ કાળે એક જ વસ્તુમાં ન હોઈ શકે પણ કમથી હોઈ શકે. સુખ-દુઃખ આ વિરોધી આત્મગુણો એક જ સમયે જણાય છે એટણે આત્મભેદ માનવો પડે છે. ૧૬ કોઈ ન્યાયવૈશેષિકને કહે છે: સ્વશરીરમાં જ આત્મા છે. અન્ય શરીરમાં આત્મા શા માટે માને છે ? અન્ય શરીરમાં આત્મા છે. એનું પ્રત્યક્ષજ્ઞાન તે આપણને થતું નથી. તે શા માટે અન્ય શરીરમાં આત્મા માને ? આમ સ્વશરીરમાં જ આત્મા છે એમ માનવું જોઈએ. ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે બીજાં શરીરમાં પણ આત્મા છે એમ માનવાને માટે પ્રમાણ છે. બીજાં શરીરમાં પણ સ્વહિતપ્રાપ્તિની ચેષ્ટારૂપ પ્રવૃત્તિ અને અહિત પરિહારની ચેષ્ટારૂપ નિવૃત્તિ આપણે દેખીએ છીએ. પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉપરથી ઈચ્છા-ધનું અનુમાન થાય છે કારણ કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનુક્રમે ઈચ્છા અને પથી ઉત્પન્ન થાય છે. ઈચ્છા-દ્વેષ જ્યાં હોય ત્યાં આત્મા હાય જ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy