SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પદર્શન : તે વિષય તરફ ઠેષ જન્મે છે. હેપની ઉત્પત્તિમાં દુઃખની કલ્પના કે દુઃખની સ્કૃતિ સાથે આત્મમનઃસંગ નિમિત્ત કારણ છે.૮૪ ન ગમતા વિષય તરફના દ્વેષથી તે વિષયને દૂર કરવાનો પ્રયત્ન જન્મે છે. ઠેષ સ્મૃતિનો પણ જનક છે કારણ કે જેને જેના તરફ દ્વેષ હોય છે તે તેનું સ્મરણ કર્યા કરે છે. સારાં કામે પ્રત્યે કે સારાં કામ કરનાર પ્રત્યેને હેપ અધર્મને પેદા કરે છે જ્યારે બુરાં કામ કે બુરાં કામ કરનાર પ્રત્યે દ્વેષ ધર્મને પેદા કરે છે. આમ પનાં કાર્યો પણ પ્રયત્ન, સ્મૃતિ, ધર્મ અને અધર્મ છે.૮૭ પ જે આત્મામાં ઉત્પન્ન થયો હોય તે આત્મામાં જ તે પ્રયત્ન, વગેરેને ઉત્પન્ન કરે છે. કંપ કદી દ્વેષને ઉત્પન્ન કરતો નથી. કેપ પણ અયાવદ્રવ્યભાવી અને અવ્યાવૃત્તિ છે. પરંતુ તે આત્મા સિવાય બીજ કે દ્રવ્યમાં રહેતો નથી એટલે તે આત્માને વિશેષગુણ છે. દ્વેષનું જ્ઞાન અન્તઃકરણથી થાય છે. આ ૬. પ્રયત્ન-પ્રયત્ન એ શરીર યા મનની ક્રિયાને હેતુ છે.-૮ પ્રયત્ન એ આત્મામાં જન્મતો એક જાતનો પરિસ્પદ છે જે શરીરમાં યા મનમાં) ક્રિયાને પેદા કરે છે. એટલે જ પ્રયત્નના બીજા પર્યાયવાચક શબ્દો સંમ્ભ, ઉત્સાહ છે.. ક્રિયાઓ બે પ્રકારની છે-(૧) ઈચ્છા યા દ્વેષને અધીન, ઈચ્છા યા દ્વેષને અનધીન. પ્રથમ પ્રકારની ક્રિયાને voluntary કહી શકાય અને બીજા પ્રકાશ્મી ક્રિયાને involuntary કહી શકાય. જે ક્રિયા ઈચ્છા યા દ્વેષને આધીન છે તે ક્રિયાને જનક પ્રયત્ન ઈચ્છીજન્ય યા શ્રેષજન્ય છે. ઇચ્છા યા દેષ પ્રયત્નને પેદા કરે છે અને એ પ્રયત્ન ઈચ્છાધીન યા દૈવાધીન ક્રિયાને પેદા કરે છે. જે યિા ઈચ્છા યા દ્વેષને અધીન નથી તે ક્રિયાનો જનક પ્રયત્ન ઈચ્છાજન્ય કે જન્ય નથી પરંતુ જીવનજન્ય છે–જીવનપૂર્વક છે. જીવનનો અર્થ છે ધમધર્મસાપેક્ષ આત્મમનસંયોગ. ઈચ્છીજન્ય કે દ્વેષજન્ય પ્રયત્નની ઉત્પત્તિમાં એક કારણ (અસમવાધિકારણું) તરીકે શરીરસંગસાપેક્ષ આત્મમઃસંગ હોય છે જ. પ્રયત્ન આત્મામાં રહેતે આત્માનો વિશેષગુણ છે પરંતુ તેનાથી જન્ય ક્રિયા તે આત્મામાં ઉત્પન્ન થતી નથી પણ તે આત્માનો જે શરીર સાથે સંયોગ હોય છે તેમાં ઉત્પન્ન થાય છે, તેમ જ તે શરીરમાં રહેલા મનમાં ઉત્પન્ન થાય છે.૧૨ ધમધર્મની ઉત્પત્તિનું કારણ પ્રયત્નને કેમ નથી ગણેવામાં આવ્યો ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પ્રયત્ન ઈચ્છા-દ્વેષપૂર્વક હોય તે જ ધમધર્મનું કારણ બને છે અન્યથા તે ધમાધમનું કારણ બનતું નથી–એટલે પ્રયત્નને ધમધર્મનું કારણ નહિ ગણતાં ઇચ્છી–ષને જ ધમધર્મનું કારણ ગણવામાં આવ્યાં છે.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy