________________
વૈશેષિક ન
૨૦૧
ષ્ટિ વિષયના સૈન્દ્રિયાનુભવથી સુખ જન્મે છે. આ સુખ વમાન વિષયના અનુભવથી જન્મતું હોઈ તેને અનુભવજન્ય કહેવાય છે. જે વિષયથી ભૂતકાળમાં સુખ થયુ` હાય તે વિષયના સ્મરણથી પણ સુખ જન્મે છે; આ સુખને સ્મરણજન્ય સુખ કહેવામાં આવે છે. એવી રીતે ભવિષ્યમાં પ્રાપ્ત થનાર અભીષ્ટ પદાર્થોની કપનાથી પણ સુખ થાય છે; આ સુખને સોંપજન્ય સુખ કહેવામાં આવે છે. વમાન ઇષ્ટ વિષયના અનુભવ, અતીત ઈષ્ટ વિષયના સ્મરણ કે ભાવિ ઈષ્ટ વિષયના સંકલ્પ વિનાય વિદ્યા, રામ, સન્તાષ અને ધવિશેષ આ નિમિત્તકારાને લઇને વિદ્વાનેાના આત્મામાં સુખ જન્મે છે. આમ મુખના ચાર પ્રકારા પ્રશસ્તપાદે ગણાવ્યા છે. આ પ્રમાણે જ દુ:ખના પણ ચાર પ્રકાર સભવે છે પરંતુ દુઃખના ચોથા પ્રકારના નિર્દેશ પ્રશસ્તપાદે કર્યાં નથી.૮૦ એ ધ્યાનમાં રાખીએ કે બધાં જ સુખામાં ધમ નિમિત્તકારણ હોય છે જ અને બધાં જ દુ:ખામાં અધમ નિમિત્તકારણ હોય છે જ.
૪. ઈચ્છા-નહિ મળેલી વસ્તુને પેાતાને માટે કે બીજાને માટે મેળવવાની કામના તે ચ્છિા છે.૮૧ ભાવિ ઈષ્ટ વિષયની પ્રાપ્તિથી થનાર સુખની કલ્પનાથી કે ભૂતકાલીન ષ્ટિ વિષયના અનુભવેલા સુખની સ્મૃતિથી વિષયને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે છે. ઈચ્છાની ઉત્પત્તિમાં સુખની કલ્પના કે સુખની સ્મૃતિ સાથે આત્મમનઃસંચાગ પણ એક કારણ છે.૮૨ ગમતા વિષયને મેળવવાની ઈચ્છાથી તેને મેળવવા માટેના પ્રયત્ન ઉદ્ભવે છે. વસ્તુને યાદ કરવાની ઈચ્છાથી તે વસ્તુની સ્મૃતિ જન્મે છે. સારાં કામ કરવાની ઈચ્છાથી ધમ અને મુાં કામ કરવાની ઈચ્છાથી અધમ જન્મે છે.૮૩ કલીકાર સૂચવે છે કે ઈચ્છા પ્રવૃત્તિ દ્વારા ધમ કે અધર્મની ` જનક અને છે. આમ ઈચ્છાનાં કાર્યાં પ્રયત્ન, સ્મૃતિ, ધમ અને અધમ છે. ઈચ્છા જે આત્મામાં ઉત્પન્ન થઈ હેાય તે આત્મામાં જ તે પ્રયત્ન, સ્મૃતિ, ધર્મ અને અધમ ઉત્પન્ન કરે છે. ઈચ્છા કદીય ઈચ્છાને ઉત્પન્ન કરતી નથી. ઇચ્છા પણ યાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. પરંતુ તે આત્મા સિવાય બીજા કેાઈ દ્રવ્યમાં રહેતી નથી એટલે તે આત્માને વિશેષગુણ છે. ઇચ્છાનું જ્ઞાન અન્તઃકણુથી થાય છે. ક્રિયાએ અનેક પ્રકારની છે. તેને આધારે ચ્છિાઓના પણ અનેક પ્રકારા થાય છે.૮૪
૫. દ્વેષ-દ્વેષ એ બળતરા છે. જેને લીધે આત્મા પાતે જાણે ખળી રહ્યો હોય એવું અનુભવે છે તે દ્રેષ છે.૫ ભાવિ અનિષ્ટ વિષયથી થનાર દુઃખની કલ્પનાથી કે ભૂતકાલીન અનિષ્ટ વિષયના અનુભવેલા દુઃખની સ્મૃતિથી આત્મામાં