________________
૧૬૪
ષદ ન
અસત્) વસ્તુની જ ઉત્પત્તિ થાય છે. જો કાળ ન હોય તે। પ્રાગસત્' શબ્દમાં રહેલા અસતના વિશેષણ પ્રાના કોઈ અર્થ જ ન રહે.૪૧
કાળ તેા અપ્રત્યક્ષ છે તે તેનાથી વિશિષ્ટ વસ્તુની પ્રતીતિ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નના ઉત્તર શ્રીધર નીચે પ્રમાણે આપે છે. વૃદ્ધ અને યુવાન શરીરની ભિન્ન અવસ્થા પ્રત્યક્ષ છે. તે અવસ્થાભેદનું કારણ કાળને તે શરીરે સાથે સયેાગ છે. અવસ્થાભેદ ઉપરથી શરીર સાથે કાળના સંચાગનું અનુમાન થાય છે. અનુમિત કાળસ યેાગ ઉપરથી શરીરની કાલવિશિષ્ટતાનું જ્ઞાન થાય છૅ,૪૨
કાળભેદ ઔપાધિક
કાળ વિષ્ણુ છે. એટલે જ તે સદેશે પરત્વ વગેરે પ્રતીતિ જન્માવી શકે છે. તે વિભુ છે એ ઉપથી જ સૂચિત થઈ જાય છે કે તે નિત્ય અને એક છે. જો તે એક છે તેા પછી ભૂત, ભવિષ્ય, વમાન તેમ જ વ વગેરે કાળના ભેદો કેમ જણાય છે? આના ઉત્તરમાં વૈશેષિંક જણાવે છે કે આ ભેદ ઔપાધિક છે. ક્રિયારૂપ ઉપાધિભેદે કાળભેદ જણાય છે.૪૩ ઉદાહરણ્ણા, આંખની પલક મારવાની ક્રિયાથી મપાયેલા કાળને નિમેષ કહીએ છીએ અને સૂર્યંના એક પરિભ્રમથી મપાયેલ કાળને વર્ષ' કહીએ છીએ. હકીકતમાં કાળ તા એક જ છે. વળી, કાઈ પ્રશ્ન ઊઠાવે છે કે જો કાળ એક છે તેા પછી તેને કારણે જન્મતી પરત્વ વગેરેની પ્રતીતિ ભિન્ન ભિન્ન કેમ ? આના ઉત્તરમાં વૈશેષિક કહે છે કે પરત્વ વગેરે પ્રતીતિના ભેદ કારણસામગ્રીના ભેદને લઈ તે છે.૪૪ ભિન્ન કારણસામગ્રીઓમાં કાળ તા બધે એક જ છે. કાલ વિશેષગુણરહિત છે અને અતીન્દ્રિય છે.
જન્મના જનક કાળ
જગતના જેટલા અનિત્ય પદાર્થોં છે તે બધા કાળજન્ય છે.૪૫ એ બધા પદાર્થાંની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કાળથી જ સાઁભવે છે.૪૬ નિત્ય પદાર્થોં ઉપર કાળના પ્રભાવ પડતા નથી. આકાશ જેવા નિત્ય પદાર્થોમાં ભૂત, વમાન ભવિષ્યના ભેદ લાગુ નથી પડતા. એમને કદી અભાવ હાતા નથી એટલે એમને ત્રિકાળભેદ લાગતા નથી. તેએ શાશ્વત હોવાથી કાળની પરિધિની બહાર છે. સાધારણુ એલચાલમાં એવા પ્રયાગા કરવામાં આવે છે કે જ્યારે સૂર્ય-ચંદ્ર કઈ જ ન હતું ત્યારે પણ આકાશ હતું, જ્યારે સૃષ્ટિના નાશ થઈ જશે ત્યારે પણ કાળ રહેશે, વગેરે. પરંતુ અહીં ભૂતકાળ અને ભવિષ્યકાળ પ્રધ્વંસાભાવ