________________
વૈશેષિકદન
૧૬t
રૂપે ધરાવતા દ્રવ્યની જાતે બનેલી છે એવો વૈશેષિક સિદ્ધાંત છે. ધ્રાણેન્દ્રિય ગંધગુણને ગ્રહણ કરે છે એટલે તે પૃથ્વીદ્રવ્યની બનેલી છે. તેવી જ રીતે, શ્રોત્ર શબ્દગુણને ગ્રહણ કરે છે માટે તે આકાશદ્રવ્યની બનેલી છે. આમ આકાશ એક બાયેન્દ્રિયની પ્રકૃતિ છે.૩૩
વૈશેષિકેએ આકાશને શબદગુણના આશ્રયરૂપ દ્રવ્ય તરીકે જ કર્યું છે. તેઓ બધાં દ્રવ્યને રહેવા માટે જગ્યા આપનાર (અવકાશદાતા) વિશેષ દ્રવ્ય તરીકે આકાશને માનતા નથી.
આકાશને ભૌતિક દ્રવ્ય કેમ માન્યું છે? આકાશને શબ્દના સમવાયિકારણ તરીકે જ અર્થાત શબ્દગુણના આશ્રયરૂપ દ્રવ્ય તરીકે જ વૈશેષિકે એ માન્યું છે. શબ્દની સમાયિકારણુતા સિવાય એનું બીજું કઈ પ્રજન નથી. સામાન્ય રીતે આકાશને પૃથ્વી વગેરે મૂળ અણુપરિમાણ ધરાવતા ચાર દ્રવ્યો સાથે જોડીને પાંચેયને ભૂત કે મહાભૂત માનવામાં આવે છે. આ મહાભૂતોની કલ્પના ઉપનિષદોના જેટલી પ્રાચીન છે. આ કલ્પના અનુસાર એવું મનાતું કે બધા પદાર્થો પાંચ ભૂતોના બનેલા છે. એટલે શરીરને પણ પાંચભૌતિક કહેવાતું અને એના નાશને લેકે “પંચત્વ પામવું” અર્થાત શરીરના ઘટકરૂપ પાંચ ભૂતનું અલગ અલગ થઈ જવું” કહેતા. પરંતુ ન્યાયવૈશેષિક દર્શનમાં આવી કલ્પનાને કેઈ સ્થાન નથી. જે “ભૂત” શબ્દને અર્થ મેટર (matter) કરવામાં આવે તો ન્યાયશેષિક દર્શનમાં આકાશને ભૂત કહેવું પણ કદાચ યોગ્ય નહિ ગણાય. ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર મેટર માટે “ભૂત” અને “મટિરિયલ માટે “ભૌતિક શબ્દો જ ઉપયુક્ત જણાય છે કારણ કે મેટર' નો અર્થ એ છે કે જે આ જગતનું ઉપાદાનકારણ (material cause) હોય તે; ઉપનિષદમાં પાંચ ભૂતોને જગતનું ઉપાદાનકારણ માનવામાં આવ્યું હતું અને આકાશને પણ એવું તત્ત્વ યા ભૂત માનવામાં આવ્યું હતુંતે આકાશ બીજા ચાર ભૂત સાથે જગતનું ઉપાદાનકારણ હતું. પરંતુ ન્યાયશેષિકનું આકાશ આવું તત્ત્વ નથી. તે તે શબ્દગુણનું સમાયિકારણ જ છે. તે નિત્ય અને વિભુ છે. તેમાંથી કઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. ન્યાયશેષિકે એ “પાંચ ભૂતોને પ્રાચીન પરંપરા પ્રત્યે આદર દર્શાવવા જ માન્યાં લાગે છે. વળી, તેમણે પાંચ ભૂતમાં રહેવાવાળી “ભૂત જાતિ માની નથી. આ દર્શાવે છે કે તેઓ આકાશને ષ. ૧૧