________________
વૈશેષિકદર્શન
૧૫૯
દ્રવ્યોને ગુણ નથી.૧૫ (૩) જે સ્પર્શવાળાં દ્રવ્યને ગુણ શબ્દ છે એમ માનીએ તે શબ્દ કાન સુધી પહોંચી જ ન શકે અને પરિણામે આપણે શબ્દને કદીય સાંભળી જ ન શકીએ. આનું કારણ એ છે કે ગુણ પોતાના ગુણીને છોડીને બીજે સ્થાને કદી જતો નથી.'
[B] શબ્દ આત્માને ગુણ નથી કારણ કે (૧) જે શબ્દ આત્માને ગુણ હત તે તે બાવેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ ન થઈ શક્ત,૧૭ (૨) જે તે આત્માને ગુણ હેત તો અનેક વ્યકિત એક જ શબ્દનું ગ્રહણ ન કરી શક્ત,૧૮ (૩) જે તે આત્માને ગુણ હોત તે તેને આત્મા સાથે સમવાયસંબંધ હતt૯ (૪) જો તે આત્મગુણ હોત તો હું સુખી છું” “હું જાણું છું એવી પ્રતીતિઓની જેમ “હું વાગી રહ્યો છું” “ધ્વનિત થઈ રહ્યો છું' એવી પ્રતીતિ આપણને થાત.૨૦ આ દર્શાવે છે કે શબ્દ આત્મગુણ નથી.
[C] શબ્દ મનનો ગુણ નથી કારણ કે (૧) મનને કેઈ વિશેષગુણ નથી,૨૧ (૨) શબ્દની ઉપલબ્ધિ શરીરની બહાર થાય છે અને (૩) તે બાયેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે.૨૩
[D] શબ્દ દિફ કે કોળનો ગુણ નથી કારણ કે (૧) દિફ કે કાળ બાધેન્દ્રિયગ્રાહ્ય નથી જ્યારે શબ્દ “બાઘેન્દ્રિયગ્રાહ્ય છે, ૨૩ (૨) દિફ કે કાળને કઈ વિશેષગુણ નથી.'
પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, કાલ, દિફ, આત્મા અને મન આ દ્રવ્યમાંથી કેઈપણ દિવ્ય શબ્દગુણનો આશ્રય નથી. તેથી જે શબ્દગુણને આશ્રય છે તે આ આઠ દ્રવ્યોથી જુદું એક દ્રવ્ય છે, જેનું નામ આકાશ છે. આ રીતે પરિશેષ અનુમાનથી શબ્દગુણના આશ્રયરૂપ આકાશ દ્રવ્યનું અસ્તિત્વ પુરવાર થાય છે. ૨૪
- આકાશના ધર્મો (1) આકાશને વિશેષગુણ શબ્દ છે.૨૫ (૨) આકાશ એક છે કારણ કે આકાશનું લિંગ શબ્દ સર્વત્ર સમાનપણે મળે છે. અહીં કેઈ શંકા કરે છે કે શબ્દના તાર, તારતર વગેરે ભેદો થાય છે એટલે શબદના આધારરૂપ આકાશના પણ ભેદ કેમ ન હોય ? આના જવાબમાં વૈશેષિક જણાવે છે કે શબ્દ તાર, તારતર વગેરે રૂપે આકાશનું લિંગ નથી પરંતુ કેવળ ગુણરૂપ છે અને ગુણરૂપે શબ્દ બધે એક છે, એટલે તે તેના આશ્રયનું પણ - એકત્વ સૂચવે છે. એક જ આશ્રયમાં (= આકાશમાં) નિમિત્તભેદે શબ્દના.