________________
૧૫
પદન
છે. એથી પુરવાર થાય છે કે શબ્દ દ્રવ્ય છે. (૫) શબ્દ વિભુ છે, સર્વવ્યાપી છે. જે વિભુ હાય તે ગુણ ન હેાય પણ દ્રવ્ય હાઈ શકે.
શબ્દ ગુણ જ છે એ સિદ્ધાન્તપક્ષ
વૈશેષિકા ઉપર આપેલી દલીલેાનું નીચે પ્રમાણે ખંડન કરે છેઃ (૧) દ્રવ્યના પ્રત્યક્ષ વિના ગુણનું પ્રત્યક્ષ થાય છે. હકીકતમાં, કેટલીક ઇન્દ્રિયેા દ્રવ્યને ગ્રહણ કરતી જ નથી. ભૌતિક દ્રવ્યનું પ્રત્યક્ષ કેવળ ચક્ષુ કે સ્પર્શીનેન્દ્રિયથી થાય છે. ધ્રાણુ અને રસન અનુક્રમે ગંધગુણ અને રસગુણુનું ગ્રહણ કરે છે પણ જેમાં એ ગુણા સમવાયસંબંધથી રહે છે તે દ્રવ્યાનું ગ્રહણ કસ્તી નથી. તેથી દ્રવ્યના ગંધ કે રસનું ગ્રહણ કરનાર અંધારાને લઇને કે અંધાપાને લઈ તે દ્રવ્યનું પ્રત્યક્ષ ન પણ કરતા હાય એમ બને. ગુણના પ્રત્યક્ષ માટે પૂર્વે દ્રવ્યનું પ્રત્યક્ષ આવશ્યક નથી. (ર) પેાતાના આશ્રય સાથે પ્રતીત થવું એ કઈ ગુણનું જ લક્ષણ નથી. પેાતાના આશ્રય સાથે ગુણ જ પ્રતીત થતા હોય એવું તે। ત્યારે અને કે ગુણને જ આશ્રય હાય અને દ્રવ્ય વગેરે બીજા પદાર્થાને ન હેાય. હકીકતમાં તે બધાં જ કાય દ્રવ્યાને કારણુદ્રવ્યરૂપ આશ્રય હોય છે જ તેમ જ કમ, સામાન્ય, વિશેષ અને સમવાયને પણ આશ્રય છે જ.૨ (૩) શ્રોત્ર નિત્ય દ્રવ્યને ગ્રહણ કરે છે એમ માનવું અયેાગ્ય છે કારણ કે શ્રોત્ર ખાઘેન્દ્રિય હાવાથી ચક્ષુની માફક નિત્ય દ્રવ્યને ગ્રહણ કરવા શક્તિમાન નથી. (૪) શબ્દને પેાતાને કાઈ ગુણો નથી. તેના કહેવાતા ગુણા તે તેના વાહક વાયુના છે; તેના નથી. તે ગુણા કવિવરને વ્યાપેલી ગિન્દ્રિય દ્વારા ગૃહીત થાય છે, કર્ણેન્દ્રિય દ્વારા ગૃહીત થતા નથી. વાયુના ગુણાના શબ્દ ઉપર કેવળ આરેપ કરવામાં આવે છે.૪ (૫) કણેન્દ્રિય પેાતે વિભુ છે પરંતુ તે ઉપાધિને કારણે પરિચ્છિન્ન જણાય છે. જો શબ્દને વિભુ માનવામાં આવે તે શબ્દ અને કર્ણેન્દ્રિય વચ્ચે સયેાગ અશકય બની જાય કારણ કે એ વિભુ દ્રવ્યેા વચ્ચે સયેાગ સંભવતા નથી, અને આવા સંચાગ વિના કણેન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાન અશકય બની નય. તેથી શબ્દને વિભુ ન માનવા જોઈ એ. પરિણામે વિભુ હેાવાથી શબ્દ દ્રવ્ય છે એમ કહેવું બરાબર નથી.પ
શબ્દ દ્રવ્ય નથી એ પુરવાર કરવા વૈશેષિક નીચે પ્રમાણે દલીલા કરે છે : (૧) માની લો કે શબ્દ દ્રવ્ય છે. હવે તે કાં તે મૃત દ્રવ્ય હાવુ જોઈ એ કાં તે અમૂર્ત દ્રવ્ય. જો તે મૃત હોય તે! સ્પૃશ્ય હોવું જોઈ એ અને અમૃત હેાય તે અતીન્દ્રિય હોવું જોઈ એ. પરંતુ શબ્દ સ્પૃશ્ય પણ નથી કે અતીન્દ્રિય પણ નથી એ તે આપણા દૈનંદિત અનુભવની વાત છે. આ દર્શાવે છે કે શબ્દ દ્રવ્ય નથી.