SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ષદન સયેાગમાં આવે છે ત્યારે તે અવયવીના આરંભક (nalerial cause) પાર્થિવ પરમાણુએમાં અગ્નિના અભિધાતથી કે દબાણથી ગતિ ઉત્પન્ન થાય છે. આ ગતિને કારણે તે પરમાણુઓના પરસ્પર વિભાગ થાય છે. તેથી તેમને એક્બીજા સાથેના સંયોગ નાશ પામે છે. તેમના એકબીન સાથેને સંયાગ તૂટવાથી શુકરૂપ કાયદ્રવ્યને નાશ થાય છે [અને છેવટે અંત્ય અવયવીરૂપ કાયદ્રવ્યના (દા. ત. કાચા ઘડાનેı) નાશ થાય છે]. ચણુકરૂપ કાય દ્રવ્યને નાશ થતાં પરસ્પર અસ બહુ સ્વત ંત્ર પરમાણુએમાં બીન્ન અગ્નિસ યાગથી તેમના વમાન રૂપ વગેરે ગુણા (દા. ત. શ્યામરૂપ વગેરે) નાશ પામે છે. ત્યાર પછી ત્રીન્ન અગ્નિસ ાગથી તે પરમાણુઓમાં અગાઉના રૂપ વગેરે ગુણાની જગ્યાએ નવા ગુણા (દા. ત. લાલ રૂપ વગેરે) ઉત્પન્ન થાય છે. પછી ઉત્પન્ન થનાર અવયવીને (દા. ત. પાકા ઘડા) જે આત્મા કે આત્માએ ભાગવવાના છે તેમના અદૃષ્ટની અસરથી નવા ગુણાવાળા પરમાણુઓમાં ગતિ ઉત્પન્ન થાય છે. આ ગતિને કારણે આ નવા ગુણાવાળા પરમાણુ પરસ્પર જોડાય છે. તેથી આ પરમાણુઓના ગુણા જેવા ગુણુંવાળા ચણક બને છે. પછી આંવા ત્રણ પણુકા જોડાઈ ને તેમના ગુણા જેવા ગુણાવાળા ઋણુક બનાવે છે અને આ ક્રમે છેવટે આ નવા ગુણાવાળા અત્ય અવયવી (દા. ત. લાલ રૂપ વગેરે ધરાવતા પાકેા ઘડા) ઉત્પન્ન થાય છે. અહીં નીચેના ત્રણ પ્રના ઉદ્ભવે છેઃ (૧) શા માટે અંત્ય અવયવેામાં (પરમાણુઓમાં) અવયવીના વિઘટનને આગ્રહ રાખવામાં આવે છે ? (૨) શા માટે એક પછી એક ત્રણ અગ્નિસ યોગા માનવામાં આવ્યા છે ? બીજા શબ્દોમાં હીએ તેા, એક જ અગ્નિસ યાગને ક્રમથી અવયવીનું પરમાણુમાં વિટન કરતા, પરમાણુઓમાં શ્યામરૂપ વગેરેનો નાશ કરતા અને નવા લાલ રૂપ વગેરેને ઉત્પન્ન કરતા શા માટે નથી કપ્યા ? (૩) પુનઃ સંચાગ માટે પરમાણુએમાં ગતિની ઉત્પત્તિ શ્યામ રૂપ વગેરેના નાશ થતાં જ—અર્થાત્ નવા ગુણાની ઉત્પત્તિ પહેલાં——કેમ નથી માની ? આ ત્રણેય પ્રશ્નના જવાબ એક પછી એક વૈરોષિક દૃષ્ટિબિંદુથી આપીએ. અવયવીમાં નવા રૂપ વગેરે ગુણે! ઉત્પન્ન થવા માટે તેનું તેના અત્ય અવયવેામાં (પરમાણુમાં) વિઘટન થવું અત્યંત આવશ્યક છે. તે સિવાય સમગ્ર અવયવીમાં અર્થાત્ તેના બહારના અને અંદરના અંતે ભાગમાં નવા રૂપ વગેરે ગુણા ઉત્પન્ન ન થઈ શકે. જો તેનું અંત્ય અવયવેામાં વિઘટન ન થાય તે અગ્નિસ ચેાગ અવયવીના અંદરના ભાગ સાથે ન થઈ શકે, તેથી તે ભાગ કાચા રહે અને તેમાં પાકજન્ય નવા ગુના ઉત્પન્ન ન થાય. અવયવીની અંદરના ભાગમાં
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy