SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૭ પાક પ્રાસ્તાવિક આપણે પાર્થિવ પરમાણુઓનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાકજ છે એવું જણાવ્યું છે. આનો અર્થ એ કે પાર્થિવ પરમાણુઓમાં એક રૂપમાંથી બીજા રૂપમાં, એક રસમાંથી બીજા રસમાં, એક ગંધમાંથી બીજા ગંધમાં અને એક સ્પર્શમાંથી બીજા સ્પર્શમાં પાક દ્વારા પરિવર્તન થાય છે. પણ આ પાક એ શું છે ? પાક એ એવો અગ્નિસંગ છે જેને કારણે પાર્થિવ પરમાણુમાં અગાઉનાં રૂપ વગેરે નાશ પામે છે અને તેમની જગાએ બીજા રૂપ વગેરે ઉત્પન્ન થાય છે. આવા અગ્નિસંયોગો પણ વિવિધ પ્રકારના હોય છે. તેથી જ પાર્થિવ પરમાણુઓમાં વિવિધ રૂ૫ વગેરે પેદા થાય છે અને પરિણામે આ પાર્થિવ પરમાણુઓમાંથી બનેલા પાર્થિવ અવયવીઓમાં વિવિધ રૂપ વગેરે આપણને જણાય. છે. અહીં કાર્ય ગુણો કારણગુણપૂર્વક છે એ નિયમ કામ કરે છે. વૈશેષિકે અને તૈયાયિકે બંનેય એટલું તો સમાનપણે સ્વીકારે છે કે જ્યારે પાર્થિવ પરમાણુઓ કેઈ અવયવીના અવયવરૂપે ન હતાં સ્વતંત્ર છૂટા હોય છે ત્યારે પાક તે પાર્થિવ પરમાણુઓમાં થાય છે. પરંતુ પાર્થિવ અવયવીરૂપ કાર્ય-- દ્રવ્યમાં પાક થાય છે કે નહિ એ પ્રશ્ન પરત્વે વૈશેષિક અને નૈયાયિક વચ્ચે મતભેદ છે. વૈશેષિકને મને અહીં પણ પાક પરમાણુઓમાં (પીલુઓમાં) જ થાય. છે–અવયવીમાં નહિ. આથી ઊલટું, નૈયાયિકે માને છે કે અહીં તો પાક અવયવીમાં (પિઠરમાં જ થાય છે–પરમાણુઓમાં નહિ. આ કારણે વૈશેષિકને પીલુ પાકવાદી અને નેયાયિકને પિઠરપાકવાદી તરીકે ઓળખવામાં આવે છે. પીલુ પાકવાદ વૈશેષિક અવયવીરૂપ પાર્થિવ વસ્તુમાં (દા. ત. ઘટમાં) પાક ન માનતાં તે અવયવીના સમવાયિકારણરૂપ ( material cause) અંત્ય અવયવો પાર્થિવ પરમાણુઓમાં જ પાક માને છે. આમ કેવી રીતે થાય છે તેને વશેષિક નીચે. પ્રમાણે સમજાવે છે. જ્યારે કેઈ પાર્થિવ અવયવી (દા. ત. કાચો ઘડો) અગ્નિના
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy