SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદર્શન વગેરે. જે શરીર પૃથ્વી ફાડીને બહાર નીકળે છે તે ઉદ્ભિજ્જ કહેવાય. ઉદાહરણા, લતા, વૃક્ષ.૨૨ જે શરીર આત્માના ધર્મ વિશેષથી કે અધમ વિશેષથી સ્વભાવતઃ ઉત્પન્ન થાય છે તેને અદષ્ટવિશેષજન્ય કહેવામાં આવે છે. અલૌકિક દેવતાઓનાં શરીર ધર્માં વિશેષથી ઉત્પન્ન થાય છે.૨૩ નારકેાનાં શરીર્ પણ અયોનિજ હેાય છે. પરંતુ તે અધમ વિશેષને લઈને ઉત્પન્ન થાય છે.૨૪ ૮૫ પાર્થિવ શરીર ચેાનિજ અને અયેાનિજ અને પ્રકારના હેાય છે. જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ્જૂ શરીર પાર્થિવ જ હોય છે. મનુષ્ય વગેરેના શરીરને વૈશેષિકા પાર્થિવ માને છે. પરંતુ તેમનામાં ભીનાશ, ગરમી વગેરે હેાવાથી તેમને જલીય અને તૈજસ પણ કેમ ન માનવા જોઈએ ? અનેક પ્રાચીન સંપ્રદાયા તેમને પાંચભૌતિક માને છે અથવા તે આકાશને છેડી ચાતુૌ`તિક માને છે. વૈશેષિકને પેાતાના દર્શનની પ્રક્રિયાને કારણે મનુષ્ય વગેરેનાં શરીરને કેવળ પાર્થિવ માનવુ પડયું છે, કારણ કે જો તેને જલીય વગેરે પણ માનવામાં આવે તે મનુષ્યના શરીરમાં પૃથ્વી જાતિની સાથે સાથે જલ જાતિ પણ રહે. પરંતુ એક જ વસ્તુમાં પૃથ્વીવાતિ અને જલવાતિ માનવામાં સકરદોષ આવે છે. વૈશેષિક અનુસાર જ્યાં ઘટ વગેરેમાં પૃથ્વી ાતિ રહે છે ત્યાં જલત્વ જાતિ નથી રહેતી અને જ્યાં નદી વગેરેમાં જલવાતિ રહે છે ત્યાં પૃથ્વીત્વ જાતિ નથી રહેતી. આમ મનુષ્ય વગેરેના શરીર પાર્થિવ જ છે. અર્થાત્ તે શરીરનું સમવાયિકારણ પૃથ્વીપરમાણુઓ જ છે, જલ વગેરેના પરમાણુએ તે માત્ર નિમિત્તકારણ જ છે. વૈશેષિકાના એકાતીયાર ભકત્વના સિદ્ધાંત જ આના મૂળમાં છે. કાઈ પણ વસ્તુના આરંભક–સમવાયિકારણરૂપ-પરમાણુએ એક જ ન્નતિના હાય છે.૨૫ વૈશેષિકને મતે આંખ, નાક, જીભ અને ચામડી આ ચાર ઇન્દ્રિયાના આર ંભક પરમાણુએ અનુક્રમે તેજસ, પાર્થિવ, જલીય અને વાયવીય છે. મનુષ્ય વગેરેનાં શરીરના આરંભક પરમાણુએ પાર્થિવ જ છે. આ એ માન્યતાના સાથે વિચાર કરીએ તેા શરીરને અથ આપણે આ ઇન્દ્રિયા સિવાયનું શરીર એવા કરવા પડે. અને વૈશેષિકને આ અભિપ્રેત લાગે છે. તે ઇન્દ્રિયાને શરીરમાં રહેનારી માને છે, ઇન્દ્રિયા પોતે શરીરના ભાગરૂપ નથી. યાનિજ શરીરેત્પત્તિની પ્રક્રિયા વૈશેષિકા નીચે પ્રમાણે વર્ણવે છે. શુક્ર અને શાણિતના સંચાગ પછી માતાના જારના અગ્નિ સાથે સંબંધ થવાથી શુક્રશાણિતના આરંભક પરમાણુએમાં પહેલાંનાં રૂપ, વગેરેના નાશ થાય છે અને ખીજા... રૂપ, વગેરેની ઉત્પત્તિ થાય છે. પરિવતિંત રૂપ વગેરેથી યુક્ત શુક્ર—શાણિતના
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy