________________
સાંખ્યદર્શન
અને જે મોહાત્મક મૂળ કારણદ્રવ્ય છે તે તમોગુણ . અહીં કોઈને પ્રશ્ન ઊઠે કે સુખદુઃખમોહાત્મક વિષયોનું મૂળ કારણદ્રવ્ય એક જ સુખદુઃખમોહાત્મક ન માનતાં ત્રણ મૂળ કારણદ્રવ્યો-એક સુખાત્મક, બીજું દુઃખાત્મક અને ત્રીજું મોહાત્મક-કેમ માન્યાં ? આ શંકાનું સમાધાન એ છે કે પરસ્પર વિરોધી ધર્મો એક જ દ્રવ્યમાં સંભવી ન શકે. વળી, અહીં શંકા જાગે કે તો પછી તે પરસ્પર વિરોધી ધર્મો એક જ વિષયમાં કેમ સંભવે છે ? આનો ઉત્તર નીચે પ્રમાણે છે : તે સંભવે છે કારણ કે તેનાં અંશભૂત કારણદ્રવ્યો તે ધર્મો ધરાવે છે. ઉદાહરણાર્થ, એક જ તાંતણો સળંગ કાળો અને ધોળો બંને પરસ્પર વિરોધી ધર્મો ધરાવતો ન સંભવે પરંતુ ધોળા તાંતણામાંથી અને કાળા તાંતણામાંથી બનેલી દોરી તે બંને ધર્મો ધરાવી શકે. સત્ત્વ આદિ તાંતણાસ્થાનીય હોઈ તેમાં પરસ્પર વિરોધી સુખ આદિ ધર્મો ન સંભવે જ્યારે વિષયો દોરીસ્થાનીય હોઈ તેમાં સુખ આદિ પરસ્પર વિરોધી ધર્મો સંભવે.
૧
આ ત્રણ ગુણો શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગન્ધ વગેરેથી રહિત છે. સ્વાભાવિક જ પ્રશ્ન ઊઠે કે જો શબ્દ-સ્પર્શ આદિ ધર્મ મૂળ કારણદ્રવ્યરૂપ સત્ત્વ આદિ ગુણોમાં ન હોય તો વિકાર્ય કાર્યદ્રવ્યોમાં તે આવે છે ક્યાંથી ? પુરુષ તો ચિન્મય અને અવિકારી છે. એટલે એના સંપર્કથી પણ આ નૂતન ધર્મો ઉદ્ભવી ન શકે. આ પ્રશ્નનું સમાધાન એ છે કે આ ત્રણ દ્રવ્યરૂપ ગુણોનો વિશિષ્ટ પ્રકારનો સંયોગ થવાથી જ તે વિવિધ ધર્મો ઉત્પન્ન થાય છે. ઉદાહરણાર્થ, હળદર અને ચંદન કે ચૂનો લઈએ. હળદર, ચંદન કે ચૂનો આ ત્રણમાંથી એકેયન્નો રંગ લાલ નથી. પરંતુ હળદર અને ચૂનો કે ચંદન મેળવવાથી રક્તવર્ણ ઉત્પન્ન થાય છે.
૧૨
સત્ત્વગુણ સુખાત્મક, રજોગુણ દુઃખાત્મક અને તમોગુણ મોહાત્મક છે.॰ અહીં સુખ અને દુઃખને પરસ્પરના અભાવરૂપ ગણવાના નથી, પરંતુ સ્વતન્ત્ર ભાવરૂપ સમજવાના છે. સુખની સાથે અનુકંપા, આવ, વગેરે સમજવા. દુઃખની સાથે માન, મદ વગેરે સમજવા. અને મોહની સાથે વંચના, કુટિલતા વગેરે સમજવા. પ્રત્યેક ગુણનું પ્રયોજન શું છે ? સત્ત્વગુણ પ્રકાશાર્થે છે, રજોગુણ પ્રવૃર્ત્યર્થે છે અને તમોગુણ નિયમનાર્થે છે.૧૧ સત્ત્વગુણના ધર્મ લઘુતા અને પ્રકાશ છે. રજોગુણના ધર્મ સંશ્લેષજનકતા યા ઉત્તેજકતા અને ક્રિયાશીલતા છે. તમોગુણના ધર્મ ગુરુતા અને આવરણ છે. સત્ત્વગુણ લઘુ હોવાથી તેના પ્રભાવે અગ્નિ વગેરેનું ઊર્ધ્વગમન અને વાયુ વગેરેનું તિર્યક્નમન શક્ય બને છે. વળી, સત્ત્વગુણના લઘુતા ધર્મને પરિણામે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો ખૂબ ઓછા સમયમાં વિષયને ગ્રહણ કરવા સમર્થ બને છે. વિષયગ્રાહિતા, આલોક યા પ્રતિબિંબધારકત્વ એ પ્રકાશ છે. સાત્ત્વિક ઇન્દ્રિયો સત્ત્વગુણના પ્રકાશ ધર્મને કારણે જ વિષયાકાર પરિણમે છે અને બુદ્ધિ પણ પ્રકાશ ધર્મને કારણે જ પુરુષને પોતામાં પ્રતિબિંબિત કરવા સમર્થ બને છે અને પરિણામે જાણે ચેતનવન્તી હોય તેવી બને છે. સત્ત્વગુણ લઘુ અને પ્રકાશમય હોવા છતાં સ્વયં ક્રિયાહીન છે. તેવી જ રીતે તમોગુણ પણ સ્વયં ક્રિયાહીન છે. બીજી બાજુ, રજોગુણ સ્વયં ક્રિયાશીલ છે અને ઉત્તેજક યા પ્રવર્તક છે. સત્ત્વગુણ અને તમોગુણ રજોગુણની સહાયતાથી જ સ્વકાર્યમાં પ્રવૃત્ત થાય