________________
૨૮૦
પદર્શન અનુષ્ઠાન માત્ર મનથી જ થતું હોઈ તેમને આંતર સાધનો કહેવામાં આવ્યાં છે. બાહ્ય સાધનોના અનુષ્ઠાનમાં જે પરપીડા અનિવાર્યપણે રહેલી હોય છે તે આંતર સાધનોમાં હોતી નથી. એટલે તપ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ આંતર સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મો માત્ર શુક્લ જ હોય છે. જેમના ક્લેશો ક્ષીણ થઈ ગયા હોય છે અર્થાત્ જેમના ક્લેશસંસ્કારો દગ્ધબીજ બની ગયા હોય છે તે ચરમદેહ વિવેકી પુરુષોનાં કર્મો અશુક્લ-અકૃષ્ણ હોય છે. આ વિવેકી પુરુષો પરોપકારરૂપ શુભ પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમને પ્રવૃત્તિના ફળની કામના ન હોવાથી તેમની તે નિષ્કામ પ્રવૃત્તિથી ઊપજતાં કર્મો અશુક્લ હોય છે. કૃષ્ણ કર્મો તો તેમને હોતાં જ નથી કારણ કે તેઓ પરપીડારૂપ ખરાબ પ્રવૃત્તિ તો કરતા જ નથી. તેથી ચરમદેહ વિવેકી પુરુષોનાં કર્મો અકૃષ્ણ-અશુક્લ જ હોય છે. વિવેકી પુરુષ સિવાયના પુરુષમાં ત્રણેય પ્રકારનાં કર્મો સંભવે છે. કોઈ એક વ્યક્તિમાં માત્ર કૃષ્ણ, માત્ર શુક્લકૃષ્ણ કે માત્ર શુક્લ કર્મો જ હોય છે એવું નથી, પરંતુ વધતાઓછા પ્રમાણમાં તેનામાં ત્રણેય પ્રકારનાં કર્મો સંભવે છે. એટલે જ તો કહ્યું છે કે કેટલીક વાર કૃષ્ણ કર્મોનો નાશ શુક્લ કર્મથી થઈ શકે છે.
ક્લેશપૂર્વક પ્રવૃત્તિ કરીએ તો જ કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે. જો પ્રવૃત્તિ ક્લેશરહિત. હોય તો કર્મસંસ્કારો ચિત્તમાં પડતા નથી. આમ ક્લેશ જ કર્મબંધનું કારણ છે. કર્મસંસ્કારો ક્લેશમૂલક છે.“ કર્મસંસ્કારો યા કર્મો પુણ્યરૂપ અને પાયરૂપ એમ બે પ્રકારના હોય છે. પુણ્યરૂપ કર્મો અને પાપરૂપ કર્મો બંનેય ક્લેશમૂલક છે અર્થાત્ કામ (રાગ, અભિનિવેશ), લોભ (રાગ), મોહ (અવિદ્યા, અસ્મિતા) અને ક્રોધ (વૈષ)માંથી જ જન્મે છે. સ્વર્ગ, વગેરે મેળવવાની કામના અને લોભથી પ્રેરાઈ. આપણે સુકાર્યો કરીએ છીએ અને તેને પરિણામે પુણ્યરૂપ કર્મ બાંધીએ છીએ. એવી જ રીતે કામ અને લોભથી પ્રેરાઈ આપણે ચોરી વગેરે દુષ્કૃત્યો આચરીએ છીએ. અને તેને પરિણામે પાપરૂપ કર્મો બાંધીએ છીએ. આમ કામ અને લોભ એ બંનેમાંનો પ્રત્યેક ક્લેશ પુણ્યરૂપ અને પાપરૂપ બને પ્રકારનાં કર્મો ઉત્પન્ન કરે છે. બ્રહ્મવધ વગેરે ક્રોધજન્ય પ્રવૃત્તિ પાપરૂપ કર્મો ઉત્પન્ન કરે છે. કેટલીક વાર ક્રોધપૂર્વક કરાતી પ્રવૃત્તિ પુણ્યરૂપ કર્મો ઉત્પન્ન કરે છે. કોઈ આપણું અજ્ઞાની અને ગરીબ માની અપમાન કરે તો આપણને ક્રોધ થાય છે, તે ક્રોધથી પ્રેરાઈ આપણે અજ્ઞાન અને ગરીબીને દૂર કરવા સ્વાધ્યાય, તપ વગેરે સુકૃત્યો કરીએ છીએ, આ ક્રોધજન્ય સારી પ્રવૃત્તિ પુણ્યરૂપ કર્મોને પેદા કરે છે. અવિદ્યા યા મોહ તો બધા ક્લેશોનું મૂળ છે. એટલે એ દૃષ્ટિએ તેને પણ પાપ અને પુણ્યરૂપ બંને પ્રકારનાં કર્મોનું કારણ ગણી શકાય. જ્યારે ક્રોધ, કામ કે લોભથી પ્રેરાઈ કરાતી પ્રવૃત્તિ પાપરૂપ કર્મોને ઉત્પન્ન કરે
ત્યારે તેમના મૂળરૂપ અવિદ્યા પાપરૂપ કર્મોને ઉત્પન્ન કરે છે તેમ ગણાય અને જ્યારે ક્રોધ, કામ કે લોભથી પ્રેરાઈ કરાતી પ્રવૃત્તિ પુણ્યરૂપ કર્મો ઉત્પન્ન કરે ત્યારે તેમના મૂળરૂપ અવિઘા પુણ્યરૂપ કર્મોને ઉત્પન્ન કરે છે તેમ ગણાય.
વળી, કર્મોનો બીજી રીતે વિભાગ થાય છે. આ રીતે વિભાગ કરતાં કર્મો બે વિભાગમાં વહેંચાઈ જાય છે–દૃષ્ટજન્મવેદનીય કર્મો અને અદૃષ્ટજન્મવેદનીય કર્મો'. કેટલાંક કર્મો પોતાનું ફળ (વિપાક) વર્તમાન જન્મમાં જ આપી દે છે. આવાં કર્મો