________________
અધ્યયન ૧૨
ક્લેશો
આપણે જોઈ ગયા છીએ કે જ્ઞાનરૂપ વૃત્તિઓ ક્લિષ્ટ અને અક્લિષ્ટ એમ બે પ્રકારની હોય છે. અર્થાત, જ્ઞાનરૂપ વૃત્તિઓ ક્લેશ સહિત યા ક્લેશરહિત હોય છે. વિવેકખ્યાતિ રહિત પુરુષોની જ્ઞાનરૂપ વૃત્તિઓ ક્લેશરહિત હોય છે, જ્યારે વિવેકખ્યાતિયુક્ત પુરુષોને જ્ઞાનરૂપ ચિત્તવૃત્તિઓ ક્લેશરહિત હોય છે.
ક્લેશો કેટલા છે? પાંચ – અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ.' '
અવિદ્યા – વિવેકજ્ઞાનથી ઊલટું જ્ઞાન તે અવિદ્યા. આમ અવિદ્યા એ અભાવરૂપ નથી પણ ભાવરૂપ છે. આ અવિદ્યા પ્રકૃતિપુરુષના સંયોગનું અર્થાત્ સંસારનું કારણ છે. એટલે છીપમાં રૂપાની ભ્રાન્તિ, દોરડીમાં સર્પની બ્રાન્તિ વગેરે મિથ્યાશાનોની આ અવિદ્યામાં ગણના નથી કારણ કે તે મિથ્યાજ્ઞાનો સંસારના કારણરૂપ નથી. તો પછી સંસારના કારણરૂપ અવિદ્યા કેવી છે? અનિત્ય વસ્તુઓમાં નિત્યપણાની બુદ્ધિ, અપવિત્ર વસ્તુઓમાં પવિત્રપણાની બુદ્ધિ, દુઃખરૂપ વસ્તુઓમાં સુખરૂપતાની બુદ્ધિ અને જડવસ્તુઓમાં ચેતનતાની બુદ્ધિ એ સંસારના હેતુરૂપ અવિદ્યા છે. બાકીના ચાર ફ્લેશોનું પ્રભવસ્થાન અવિદ્યા જ છે."
અસ્મિતા – દશક્તિ (આત્મા) અને દર્શનશક્તિ (બુદ્ધિ) એ બંને આત્મ અને અનાત્મ પદાર્થોના સ્વભાવ એકબીજાથી અત્યંત ભિન્ન હોવા છતાં તેમનો જાણે એક જ સ્વભાવ હોય તેવો ભ્રમ તે અસ્મિતા છે. અનાત્મને આત્મા ગણવારૂપ અવિદ્યાથી અસ્મિતા કઈ રીતે જુદી છે? આનો જવાબ ભિક્ષ નીચે પ્રમાણે આપે છે. અનાત્મને આત્મા ગણવારૂપ અવિદ્યા કારણ છે જ્યારે અસ્મિતા તેનું કાર્ય છે. અનાત્મમાં આત્મબુદ્ધિરૂપ અવિદ્યા થાય છે ત્યારે બુદ્ધિમાં સામાન્યરૂપે અહબુદ્ધિ થાય છે; બુદ્ધિમાં સામાન્યરૂપે થતી અહમ્બુદ્ધિ બુદ્ધિ અને પુરુષના ભેદભેદગ્રહણથી થાય છે અને નહીં કે તેમના અભેદગ્રહણથી; બુદ્ધિ અને પુરુષની અત્યન્ત એકતાનો ભ્રમ હોતો નથી અને તેથી બુદ્ધિના ગુણોનો પુરુષમાં આરોપ હોતો નથી. આથી ઊલટું અસ્મિતામાં બુદ્ધિ અને પુરુષના અત્યંત અભેદનો ભ્રમ હોય છે તેમજ બુદ્ધિના ગુણોનો પુરુષમાં આરોપ હોય છે; કહો કે બુદ્ધિ અને પુરુષના અત્યંત અભેદના ભ્રમને લઈને જ બુદ્ધિના ગુણોનો પુરુષમાં આરોપ થાય છે. કોઈ પ્રશ્ન ઉઠાવી શકે કે સીસા અને રૂપાના અભેદગ્રહણ વિના પણ એકના ગુણોનો બીજા ઉપર આરોપ સંભવે છે તો બુદ્ધિ અને પુરુષની બાબતમાં પણ તેમ શા માટે ન માનવું? આનો ઉત્તર એ