SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યદર્શન ૧૬૧ વાસી છે. એમનામાં સત્ત્વ અને રજોગુણ હોય છે અને તમોગુણ પ્રધાન હોય છે. આમ તિર્થક્યોનિના જીવો તમોબહુલ છે." પરંતુ તેમનામાં તમોગુણનું તારતમ્ય હોય છે. પશુ કરતાં મૃગમાં, મૃગ કરતાં પક્ષીમાં, પક્ષી કરતાં સરીસૃપમાં અને સરીસૃપ કરતાં સ્થાવરમાં તમોગુણનું પ્રમાણ વધુ હોય છે." યુક્તિદીપિકામાં દેવોના શરીરોને ચાર પ્રકાર જણાવ્યા છે-(૧) પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન, જેમકે કપિલનું અને બ્રહ્માનું શરીર, (૨) આધ્યાત્મિકશક્તિના બલે ઉત્પન્ન, જેમ કે બ્રહ્માના પુત્ર અને પત્રોનાં શરીરો, (૩) પિતામાતાના સંસર્ગને પરિણામે ઉત્પન્ન શરીર અને (૪) કેવળ માતાથી અથવા કેવળ પિતાથી ઉત્પન્ન શરીર, જેમ કે મિત્ર અને વરુણથી ઉત્પન્ન વસિષ્ઠ. મનુષ્યદેહ જરાયુજ જ છે. દ્રોણ, કૃપ વગેરેમાં આ નિયમનો અપવાદ છે. યજ્ઞસંપાદનકાળે પુણ્યબળે યજ્ઞાગ્નિમાંથી તેમના દેહો ઉત્પન્ન થયેલા હતા. તિર્યંગ્યોનિના જીવોના દેહ ચાર પ્રકારના હોય છે (૧) અશ્વ વગેરેના દેહ જરાયુજ, પક્ષી વગેરેના દેહ અંડજ; તૃણ વગેરેના દેહ ઉદ્ભિજ્જ અને શુદ્રજજુના દેહ સ્વેદજ. યુક્તિદીપિકાકારને મતે સ્થૂલદેહના આ વિવિધ પ્રકાર છે. સાંખ્યસૂત્રમાં સ્કૂલ શરીરોના છ પ્રકારો જણાવ્યા છે–ઊખજ, અંડજ, જરાયુજ, ઉદ્ભિજ્જ, સાંકલ્પિક અને સાંસિદ્ધિક. ઊખજ એ જ સ્વેદજ છે. સાંકલ્પિક દેહ સંકલ્પથી ઉત્પન્ન કરવામાં આવતો દેહ છે. અને જે દેહ મંત્રશક્તિ, તપોબળ વગેરે દ્વારા ઉત્પન્ન થાય તે સાંસિદ્ધિક છે.' ચૂલદેહના ઉપાદાનકારણ વિશે મતભેદ છે. કેટલાક સ્થૂલદેહને પાંચભૌતિક ગણે છે.૧૯ કેટલાક તેને ચાતુર્ભોતિક ગણે છે. જેઓ તેને ચાતુભૌતિક માને છે તેમને મતે આકાશ દેહનું આરંભક કારણ નથી; આકાશ કોઈનું ઉપાદાનકારણ બની શકતું નથી; તેથી પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચારમાંથી સ્થૂળશરીર ઉત્પન્ન થાય છે. વળી કેટલાકને મતે સ્થૂળ શરીર ઐકભૌતિક છે. ૨૧ કેવળ પૃથ્વી જ તેનું ઉપદાનકરણ છે; બીજા ભૂતો ઉપષ્ટભક માત્ર છે અર્થાત્ પૃથ્વીના આ પરિણામમાં સહાયક છે. અથવા ઐકભૌતિક' શબ્દનો અર્થ એવો પણ થઈ શકે કે એક એક ભૂતનું એક એક શરીર બનેલું છે. મનુષ્ય વગેરેના શરીરમાં પાર્થિવાંશ અધિક હોવાને કારણે તેમના શરીરને પાર્થિવ શરીર ગયું છે. સૂર્ય વગેરેના દેહમાં તેજ:પદાર્થનું આધિક્ય હોવાથી તેમના દેહને તૈજસ ગયું છે. સુવર્ણ વગેરેમાં પૃથ્વી વગેરેના અંશ હોવા છતાં તેમનામાં તેજ:પદાર્થ વધારે પ્રમાણમાં હોવાથી તેને તૈજસ દેહધારી ગયાં છે. આ રીતે જે શરીરમાં જે ભૂતનું પ્રમાણ વધુ તે શરીરને તે ભૂતનો પરિણામ ગયું છે. ભૌતિક સર્ગનું વર્ણન કર્યું. જ્યાં સુધી લિંગશરીર પડે નહિ ત્યાં સુધી પુરુષ પૂર્વોક્ત ચૌદ પ્રકારના જીવોને યોગ્ય ભૌતિક શરીરોમાં બદ્ધ રહે છે અને એ શરીરના જરામરણથી પેદા થતા દુઃખને ભોગવે છે. દુઃખ વગેરેનો સ્વાભાવિક સંબંધ તો લિંગશરીર સાથે છે. જે ચેતન આત્મા છે તે તો પુરુષ છે અર્થાત્ લિંગદેહરૂપ પુરમાં સૂતેલો આત્મા છે. ઘરને આગ લાગતાં તે ઘરમાં સૂતેલા માણસને જેમ ગરમી લાગે છે
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy