________________
અધ્યયન ૧૪ ભૌતિક સર્ગ
પ્રકૃતિ અને પુરુષનો સંયોગ થતાં સૃષ્ટિક્રિયાનો આરંભ થાય છે. પુરુષના ભોગ માટે દેહ આવશ્યક છે. નર-માદાના મિલનના પરિણામે પુરુષનો ભોગદેહ અર્થાત્ ભૂલદેહ ઉત્પન્ન થાય છે. પુરુષ લિંગદેહનો આશ્રય લઈને પિતામાતાના શુક્રશોણિતમાં આવી નવો શૂળદેહ ધારણ કરે છે. નવીન દેહની ઉત્પત્તિના મૂળમાં રહ્યા છે ધર્મઅધર્મ, ધર્મ-અધર્મ વિના દેહોત્પત્તિ સંભવતી નથી. અને દેહોત્પત્તિ વિના ધર્મ, અધર્મ પ્રકટ થતા નથી. એટલે જ એ બંનેને એકબીજાની અપેક્ષા છે. પરંતુ ધર્માદિપૂર્વક શરીર અને શરીરપૂર્વક ધર્માદિ આવો સંબંધ હોવા છતાં અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. સૃષ્ટિપ્રવાહ અનાદિ છે. લિંગસર્ગ પણ અનાદિ છે; ભાવસર્ગ પણ અનાદે છે. લિંગસર્ગ સાથે ભાવસર્ગનો સંબંધ બીજ અંકુરના સંબંધની જેમ અનાદિ છે. બીજ-અંકુરનો સંબંધ અનાદિ હોવાથી બીજમાંથી અંકુરની અને અંકુરમાંથી બીજની ઉત્પત્તિરૂપ સંબંધ દોષરૂપ નથી. પ્રલયપૂર્વક સર્ગ છે અને સર્ગપૂર્વક પ્રલય છે. સૃષ્ટિ-પ્રલયોનો આ રીતે અનાદિ પ્રવાહ છે. પ્રલયકાળે પૂર્વસર્ગોત્પન્ન ભાવ અને લિંગદેહ સંસ્કારરૂપે ચાલુ રહે છે અને તેથી નવા સર્ગની શરૂઆતમાં ભાવ અને લિંગની ઉત્પત્તિમાં કોઈ આપત્તિ આવતી નથી. તેથી યુગે યુગે સૃષ્ટિક્રિયા એક રીતે જ ચાલે છે એમ કહી શકાય. વર્તમાન યુગમાં પુરુષ જેવી રીતે માતાના ઉદરમાં આવી નવો દેહ ધારણ કરીને પૂર્વજન્મે અર્જિત ધર્મઅધર્મ, વગેરેનો ભોગ કરે છે અને ભોગની સાથે સાથે પરજન્મના બીજા ધર્મ-અધર્મને પ્રાપ્ત કરે છે તેવી જ રીતે પૂર્વવર્તી યુગોમાં કરતો હતો અને આગામી યુગોમાં કરશે. આવું માનનારો સાંગાચાર્યોનો એક વર્ગ છે. સાંખ્યકારિકામાં ઈશ્વરકૃષ્ણ આ બાબતે કંઈ કહેતા નથી. પરંતુ તેની ઉપરની ટીકા યુક્તિદીપિડામાં જણાવ્યું છે કે પૂર્વોક્ત સિદ્ધાન્ત ઈશ્વરકૃષ્ણને માન્ય નથી. યુક્તિદીપિકાકાર કહે છે કે ધર્મ-અધર્મના પરિણામરૂપે પ્રકૃતિ-પુરુષનો સંયોગ છે એવી વ્યવસ્થા ઈશ્વરકૃષ્ણને સ્વીકાર્ય નથી. ધર્મ-અધર્મ બુદ્ધિના ધર્મો છે. તેથી પ્રકૃતિની પ્રારંભિક સૃષ્ટિદશામાં જ્યારે બુદ્ધિની ઉત્પત્તિ હજુ થઈ નથી ત્યારે ધર્મ-અધર્મનું અસ્તિત્ત્વ સંભવતું નથી. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ધર્મ અને અધર્મનો ભોગ પુરુષ કરે એટલા માટે પ્રથમ સૃષ્ટિક્રિયાનો આરંભ થયો નથી. ખરેખર તો પુરુષના બે ઉદ્દેશ સાધી આપવા પ્રથમ સૃષ્ટિક્રિયાનો આરંભ થયો છે–એક ઉદેશ છે શબ્દ, રૂપ, રસ, વગેરેની ઉપલબ્ધિ અને બીજો ઉદેશ છે પુરુષ-પ્રકૃતિના ભેદની ઉપલબ્ધિ. આ બે ઉદ્દેશ પૂર્ણ કરવા પ્રકૃતિના ત્રણ ગુણોમાં ક્ષોભ જન્મે છે અને મહતુથી