SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યદર્શન ૧૩૭ ૨૭ મનને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઉભયરૂપ ગણવામાં આવ્યું છે. મનની મદદ વિના જ્ઞાનેન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરી શકતી નથી તેમ જ કર્મેન્દ્રિય પણ પોતાનું કાર્ય કરી શકતી નથી. મન ચક્ષુ વગેરેની સાથે જોડાઈ તેમની સાથે ઐકચ સંપાદન કરી દર્શન, સ્પર્શન વગેરે ક્રિયાઓ કરે છે. કર્મેન્દ્રિય સાથે જોડાઈ મન કર્મેન્દ્રિયરૂપે પરિણમે છે અને જ્ઞાનેન્દ્રિય સાથે જોડાઈ મન જ્ઞાનેન્દ્રિયરૂપે પરિણમે છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોના પરિણામભેદને કારણે મનમાં ભિન્ન ભિન્ન પ્રકારનું સામર્થ્ય જન્મે છે. ‘હું અન્યમનસ્ક હતો એટલે હું સાંભળી શક્યો નહિ' વગેરે પ્રમાણો દ્વારા સિદ્ધ થાય છે કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું ન હોય ત્યારે તે તે ઇન્દ્રિય પોતાનો વ્યાપાર કરી શકતી નથી.૨૮ ૨૯ સંકલ્પ અર્થાત્ સમ્યક્ ક્લ્પના મનનો અસાધારણ ધર્મ છે. ઇન્દ્રિયગૃહીત પિંડમાં ગળાની ધાબળી વગેરે જોઈને તેનાથી યુક્ત પિંડ ગોજાતિનો છે, અન્ય જાતિનો જીવ નથી એવી રીતે સામાન્યાકારે ગૃહીત પિંડને વિશેષ્યવિશેષણરૂપે પૃથક્ કરી ગ્રહણ કરવો તે મનનો વ્યાપાર છે. આ વાચસ્પતિનો મત છે. વિજ્ઞાનભિક્ષુ કહે છે કે બુદ્ધિની વૃત્તિ અધ્યવસાય યા નિશ્ચય છે, અહંકારની વૃત્તિ અભિમાન છે અને મનનો વ્યાપાર સંકલ્પ અને વિકલ્પ છે. તેમને મતે સંકલ્પનો અર્થ છે કાર્ય કરવાની ઇચ્છા અને વિકલ્પનો અર્થ છે સંશય અથવા તો યોગદર્શનપ્રસિદ્ધ એક ખાસ પ્રકારનો ભ્રમ. તેઓ ભારપૂર્વક જણાવે છે કે વિશિષ્ટ જ્ઞાનને સંકલ્પ કે વિકલ્પ કહી શકાય નહિ, કારણ કે તેનું તો સાંખ્યો બુદ્ધિવૃત્તિરૂપે નિરૂપણ કરે છે. 30 મનનો અસાધારણ વ્યાપાર હોવા છતાં તેનું અને ઇન્દ્રિયોનું ઉપાદાનકારણ સાત્ત્વિક અહંકારરૂપ એક જ હોઈ મનની ગણના પણ ઇન્દ્રિયોમાં કરવામાં આવી છે. અદૃષ્ટનો અર્થ છે અનાદિ કર્મપ્રવાહથી ઉત્પન્ન થયેલ પાપપુણ્ય. એ જીવોના શબ્દ વગેરે ઉપભોગોનું જનક છે. અદૃષ્ટ એ સત્ત્વ વગેરે ગુણોની એક અવસ્થા છે. આ અદૃષ્ટના પણ જીવના કર્મ પ્રમાણે અનેક ભેદ છે. આ અદૃષ્ટના વિશેષોને લઈ ઇન્દ્રિયોના આટલા બધા પ્રકાર થાય છે. સાત્ત્વિક અહંકાર ઇન્દ્રિયોનું એક સાધારણ કારણ હોવા છતાં સહકારિકારણ અદૃષ્ટના વિશેષોને લઈને તે તે અદૃષ્ટની સાથે મળીને અહંકાર ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોને ઉત્પન્ન કરે છે. જીવોના કર્મભેદને કારણે તેમના અદૃષ્ટમાં પણ સત્ત્વ વગેરે ગુણોનો પરિણામભેદ ઉદ્ભવે છે અને આ પરિણામભેદને લઈને ઇન્દ્રિયોનું નાનાત્વ અને તેમનો બાહ્ય રચનાભેદ પણ ઘટે છે. આ ઉપરથી ફલિત થાય છે કે સાંખ્યો આંતર (શક્તિરૂપ) અને બાહ્ય (વિશિષ્ટ રચનારૂપ) એમ બે પ્રકારની ઇન્દ્રિયો માનતા હોવા જોઈએ. પરંતુ પ્રસ્તુત સાંખ્યકારિકા ૨૭નો આવો અર્થ સ્પષ્ટ હોવા છતાં ટીકાકારો એનું અર્થઘટન જુદી રીતે કરે છે એ નોંધવું જોઈએ. ૩૧ સાંખ્યદર્શનને મતે મન નિરવયવ નથી, કારણ કે તે જુદી જુદી ઇન્દ્રિયો સાથે એકીવખતે જોડાય છે. નિરવયવ વસ્તુ એક કાળે અનેક સાથે જોડાઈ શકે નહિ. ઘટની જેમ મન મધ્યમપરિમાણવાળું છે અને તેથી તે સાવયવ છે. કોઈ અન્તઃકરણને વિભુ માની
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy