SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. परदारगमनविरमणव्रत. વીરકુમારની કથા. દાનવિર્ય રાજા બે હે ભગવન ! આપ કૃપાસિંધુ છે માટે કૃપા કરી દીનજના ઉદ્ધાર માટે ચેથા અણુવ્રતનું સ્વરૂ૫ અમને દષ્ટાંત સહિત સમજાવે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન્ ? હારી જીજ્ઞાસા પૂર્ણ કરવા માટે અમને બહુ આનંદ થાય છે. ત્યારા પ્રશ્નનો ઉત્તર સાવધાન થઈ શ્રવણ કર. ચોથા વતમાં પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવાને છે. માટે જે પુરૂષ પર સ્ત્રીને ત્યાગ કરે છે તે ભવ્યાત્મા પર દ્વારની કેઈસમયે સેવા કરતું નથી. તેમજ પોતાની સ્ત્રી વિષે સંતોષ માનતે તે પુરૂષ સમગ્ર જગતને રક્ષક થાય છે. વળી આ લેકમાં પણ વિરકુમારની માફક પરસ્ત્રીથી વિરક્ત થયેલાની કીર્તિ, યશ અને પુરૂષાર્થો વિસ્તાર પામે છે. પુરૂષેત્તમ કૃત શયન (કૃષ્ણ વાસુદેવે જેની અંદર શયન કરેલું છે= પુરૂષોત્તમ કૃત સદન) ઉત્તમ વીરકુમારદષ્ટાંત. પુરૂષોએ નિર્માણ કર્યા છે ગ્રહ જેની અંદર, ઉત્તમ રનેથી વિભૂષિત, તેમજ સુપાત (શ્રેષ્ઠ વહાણ સારા બાળકોનું કુલમંદિર) અને લક્ષ્મીનું નિવાસસ્થાન એવા સમુદ્રના જળ સમાન શ્રી નિલય નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં રિપુમન નામે રાજા હતા. તે સર્વ કલાઓનું સ્થાન હતે. વળી જેને ત્યાં અનેક હસ્તીઓ શોભતા હતા, તેમજ દરેક શુભ કાર્ય તેને સેવતાં હતાં, એટલું જ નહીં પરંતુ અમુક સમયે અમુક કાર્ય કરવું તે દરેક કાર્યને કમ તેણે ગઠવ્યો હતે. વળી કમલશ્રી નામે તેની ભાર્યા હતી. તે સુંદર વિલાસવર્ડ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy