SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. આઘાતથી ઝાંઝરના શબ્દો સંભળાવા લાગ્યા. તેમજ દરેકના કેશપાશ છુટી જવાથી દષ્ટિક થઈ પડ્યા. અને તેઓ પ્રાર્થના કરવા લાગી કે, હે સ્વામિન્ ! આપ દયાળુ છે. વળી જગદ્ધક્ષક અને શરણુદાયક છે. અમારે શું અપરાધ થયો છે જેથી સહસા અમને ત્યજી દીધી. તેમજ નિરંતર વિલાસ સહિત વિલાસિનીએની નખશ્રણથી ઉછેરેલે અને ભમરાઓની પંક્તિ સમાન શ્યામ કાંતિવાળે આપને કેશકલાપ કે ઉછિન્ન કર્યો ? વળી કર્પર, કસ્તુરી અને ચંદન સમાન અતિ સુંદર એવા આ વાસભવનમાં આ તપિણી (સુંબી-) આપને ક્યાંથી મળી? ઉદ્ધત શત્રુઓને વિદારવામાં દક્ષ અને તેજસ્વી તરવાર તહાશ હસ્ત કમલમાં શોભતી હતી, તેના સ્થાનમાં આ ઉનની દશીઓને અનુચિત રજોહરણ ક્યાંથી આવ્યા? એ પ્રમાણે પ્રલાપ કરતી પિતાની સ્ત્રીઓ અને મંત્રીએ તરફ સિંહાવકન તરીકે પણ, મુનિએ કિંચિત્ માત્ર દ્રષ્ટિ કરી નહીં. હે નરેંદ્ર! જેનું ચરિત્ર આ પ્રમાણે મહેં કહ્યું, તેજ મુનિ હું પોતે છું. તે સાંભળી રાજા બોલ્યા, આ જગતમાં તમે જ કૃતાર્થ અને પુણ્યવાન ગણાઓ. કારણ કે, માત્ર આટલા કારણથી તમને વૈરાગ્ય રંગ પ્રગટ થયે. વળી મહેં નિર્વેદનાં કારણે બહુ જોયાં તે પણ સ્વામિન્ ! પાપસ્થાનમાં હારી પ્રવૃત્તિ બહુજ રહ્યા કરે છે. માટે હે મુનીં! દયા કરી હને યોગ્ય ધર્મની દેશના આપે. મુનિએ બન્ને પ્રકારના ધર્મનું સ્વરૂપ કહ્યું. પછી રાજાએ વિધિપૂર્વક અહીધર્મને સ્વીકાર કર્યો. તેમજ સુંદર અને નંદ વણિકે અતિથિ સંવિભાગનું વ્રત લીધું. ત્યારબાદ રાજાએ હસ્તિનું વૃત્તાંત પૂછયું. મુનિ બોલ્યા, તે વાત હું બરાબર જાણતા નથી. પરંતુ ભદ્રક ભાવથી એણે મહને પ્રણામ કર્યા છે. ત્યારબાદ આમ્રવૃક્ષમાં રહેલો યક્ષ ત્યાં પ્રગટ થઈ બોલ્યો,
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy