SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ નંદવાણની કથા. (૪૧૯) હસ્તિનો ઉપદ્રવ શાંત થયો એટલે સુંદર અને નંદ બને જણ મુનિને વંદન કરવા ગયા. ધ્યાનની ધર્મદેશનો, સમાપ્તિ થવાથી મુનિએ તેઓને ઉદ્દેશી જૈન ધર્મની દેશના આપી. પછી ઉચિત સમય જાણી વિનયપૂર્વક હાથ જોડી રાજા બે હે મુનીં! ભર ચાવનમાં આપને દીક્ષા લેવાનું શું કારણ બન્યું? મુનિ બેલ્યા, સંસારમાં વૈરાગ્યનાં કારણે હારા માટે પણ બહુ સુલભ છે. પરંતુ હાલમાં ત્યારે ચારિત્ર રોધક-આવરણ કર્મ બાકી ર છે. વળી અમારા વ્રત ગ્રહણ કરવાનું કારણ પણ તું સાંભળ. કદાચિત તે શ્રવણ કરવાથી હને પણ વૈરાગ્યભાવ પ્રગટ થાય. માટે અહીં કથન કરવું ઉચિત છે. ઉપવનના વિભાગોથી રમણીય છે પ્રદેશ જેના એવી જગત પ્રસિદ્ધ રત્નપુરી નગરી છે. તેમાં રત્નચડ વૈરાગ્યનું કારણ રાજા છે. તે અમાવાસ્યાની રાત્રીએ સર્વ - પાપ કાર્યથી મુક્ત થઈ પોતાની રાણીઓને પણ ત્યાગ કરી. એકાકી આવાસભવનમાં આનંદપૂર્વક સખ શા ઉપર બેઠે હતું, તેટલામાં દીવાની શિખા તરફ તેની દષ્ટિ ગઈ, ચંચલ વૃત્તિવાળું એક પતંગીયું દીવામાં પડવાની તૈયારી કરતું હતું. તે જોઈ રાજાને બહુ દયા આવી. અરે! આ બિચારું અજ્ઞાનથી મૂઢ બની દીવામાં પડી પિતાને દેહ છોડી દેશે. એમ જાણું રાજાએ ખુલ્લા હાથે તેને બહાર મૂકી દીધું. ફરીથી પણ તેજ પ્રમાણે તેને બચાવ કર્યો. એમ પાંચ વખત તેનો ઉદ્ધાર કર્યો, છતાં પણ દી૫ સાથે બંધાયેલા પતંગીયાને પ્રેમ ક્ષીણ થયે નહીં. પછી રાજાએ વિચાર કર્યો કે, ઉપાયવડે રક્ષણ કરાચેલે પ્રાણી સે વર્ષ જીવી શકે છે એ વાત લોકમાં પ્રસિદ્ધ છે. તેથી એની રક્ષા માટે કઈ પણ ઉપાય કરું. વળી જે આ પતં
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy