SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ધનદેવ ત્યાં જઈ વિશેષ તપાસ કરવા લાગ્યા. ત્યાં સ્વચ્છ વાદળથી આચ્છાદિત, તેજસ્વી સૂર્યના બિંબ સમાન કાંતિમય અને ધુળથી દબાએલી, રાજાની મુદ્રિકા તેના જેવામાં આવી કે તરતજ આડું અવળું જોઈ કેઈન દેખે તેવી રીતે મુદ્રિકા લઈ પોતાના વસ્ત્રના છેડે બાંધી દીધી. પછી તે દેવયશની પાછળ ચાલ્યા અને જૈનમંદિરમાં ગયે. ત્યાં દેવયશની સાથે ભગવાનની પૂજા કરી, ચૈત્ય વંદનાદિક વિધિ સમાપ્ત કરી ત્યાંથી નિવૃત્ત થઈ, દૈવયશની સાથે તેને ઘેર ગયે. ભેજન પણ તેની સાથે કર્યું અને રાત્રિએ શયન પણ ત્યાં જ કર્યું. જ્યારે ઘરનાં સર્વ માણસો ઉંઘી ગયાં ત્યારે ધનદેવે વિચાર કર્યો કે, આને ઉચ્છેદ કરવાને આ સમય ઠક આવ્યો છે. એમ જાણે કઈ પણ ન જાણી શકે તેવી રીતે ચામડાના સાંધા તેડી તેની પેટીની અંદર તે મુદ્રિકા મૂકી દીધી. હવે રાજાએ પિતાના મકાનમાં આવી સર્વ અલંકાર ન ઉતાર્યા એટલે મુદ્રિકા તેના જેવામાં આવી મુદ્રિકાને તપાસ નહીં. તેથી તેણે જાણ્યું કે જરૂરી માર્ગમાં - મુદ્રિકા પડી ગઈ. એમ જાણે તે વાત તેણે પિતાના સેવકને કરી. તેણે પણ માર્ગમાં આવતા જતા. માણને પૂછી બહુ ઉપાય સાથે રાજમાર્ગમાં બહુ શોધ કરા, તેમજ ધુળયા લેકેની પાસે સર્વ રેતી જેવરાવી, પરંતુ મુદ્રિકાને પત્તો લાગ્યા નહીં. એટલે તે વાત તેણે નરેંદ્રને જણાવી. તેથી રાજાએ પણ સર્વ નગરમાં પટહ ઘેષણ કરાવી કે જેને રાજમુદ્રિકા જડી હોય તેણે પાંચ દિવસની અંદર આપી જવી. અને તે મુદ્રિકા આપનારને હું અભયદાન આપું છું. છતાં ત્યારબાદ જે તે ચોર પકડવામાં આવશે તે તે ખુદ રાજાને પુત્ર હશે તો પણ તેને દેહાંત શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે ઘોષણું સાંભળી દેવશે ધનદેવને બોલાવી કહ્યું કે મિત્ર. તે વખતે હૈ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy