SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ મલયકેતુનીકથા. (૮૩) એ પ્રથમ ઉધારે દાણા ખાધા હોય તે તેના દેવામાં સર્વ ધાન્ય ચાલ્યું જાય તે તે પાક હેના ઉપગમાં ક્યાંથી આવે? પછી તેણે દેવાલયની વાત પૂછી, ત્યારે તે બેલી, જે તેમાં ચાર કે જાર પુરૂષે રહેતા હોય તે તે નકામું છે. એ પ્રમાણે બાપ દીકરીને સંવાદ સાંભળી અમરગુરૂએ વિચાર કર્યો કે, મહારું કાર્ય જરૂર આ બાલપંડિતા કરી શકશે. એમાં કંઈ પણ સંદેહ નથી. હવે તે બાલપડિતા પણ અમરગુરૂની બુદ્ધિથી બહુ ખુશી થઈ અને બેલી કે, હે તાત ! આ વિદ્વાન સાથે હુને પરણ. બ્રાહાણ બલ્ય, પુત્રી! જે એ પ્રમાણે ત્યારે મને રથ સિદ્ધ થાય તે બહુ સારું. કારણ કે, તે વિદ્વાન આપણું કરતાં ઉત્તમ કુળવાન છે. માટે હારી સાથે લગ્ન કરે કે ન કરે તે નક્કી કહી શકાય નહીં. ત્યારબાદ અમરગુરૂ જ્યારે ગામ જવા નીકળે ત્યારે,બાલ - પંડિતાએ આગળ જઈને તેના માર્ગમાં, બાલપડિતાનું ઉચેરા ઉપર પિતાની સોનાની મુદ્રિકા તેની લગન. પરિક્ષા જેવા માટે મૂકી. અમરગુરૂએ તે મુદ્રિક જોઈ જળથી શુદ્ધ કરીને લઈ લીધી. તે જોઈ બાલપંડિતા બેલી, હે મહાશય! આ અશુચિમાંથી હમેં વીંટી કેમ લીધી? વિદ્વાન બલ્ય, અશુચિમાંથી પણ સોનું લેવાને કંઈ પણ દોષ નથી. વળી એ પ્રમાણે કહ્યું છે કે – बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् । नीचादप्युत्तमा विद्यां, स्त्रीरत्नं दुष्कुलादपि ॥ ' અર્થ–બબાલક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિમાંથી પણ સોનું લેવું, તેમજ નીચ પાસેથી પણ ઉત્તમ વિદ્યા અને નીચ કુળની પણ કન્યા ગ્રહણ કરવી એમાં શાસ્ત્રથી બાધ નથી. તે સાંભળી બાળા બોલી, જે આ પ્રમાણે આપ સત્ય
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy