SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૮) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. કમને પણ ખપાવીને થોડા વખતમાં જ પ્રાયે સર્વ ચારિત્ર પણ મેળવે છે. એ કારણથી શ્રાવકોએ નિરંતર સામાયિક કરવું. એ પ્રમાણે ગુરૂ મુખથી ઉપદેશ સાંભળી તેઓ બન્ને જણ પ્રતિ દિન વિશેષ પ્રકારે સામાયિકમાં જોડાયા. એમ કેટલાક સમય વ્યતીત થયા બાદ કર્મવશથી શ્યા મલ સામાયિકમાં પ્રમાદી થયે. તેથી અમશ્યામલને તિ લેખિત અને અપ્રમાજીત (અશુદ્ધ) પ્રમાદ. સ્થાનમાં પણ બેસવા લાગ્યા. વળી કાયિકા ' • દિકને સશકે છે અને અપ્રમાઈત સ્થડિલ ભૂમિમાં કાર્યોત્સર્ગો ઉભું રહે છે. તેમજ પ્રમાર્જન કર્યા સિવાય શરીરે ખણે છે. તે જોઈ કુલધરે હેને બહુ ઠપકે આપી કહ્યું કે આવી ફષિત ક્રિયાને તું ત્યાગ કર. કારણ કે એમ કર વાથી સામાયિકમાં અતિચાર લાગે છે. અપ્રમાજીત અને અનિરિક્ષિત ભૂમિમાં સ્થાનાદિક કરવાથી જે કે હિંસાનો અભાવ હોય તે પણ પ્રમાદને લીધે તે શુદ્ધ સામાયિક કરનાર ગણાય નહિ. શ્યામલ બેલ્યા, તે સમયે હને પ્રતિલેખનાદિકનું કંઈ પણ સ્મરણ રહેતું નથી. તેમાં હું શું કરું? પણ બાંધવ! તું મહારાં છિદ્ર જુએ છે? ત્યાર પછી કુલધરે હેની ઉપેક્ષા કરી. પરંતુ શ્યામલે સામાયિકનું ફલ જાણું હેને ત્યાગ કર્યો નહીં અને તેણે દુશ્ચિષ્ટિત કાયાથી સામાયિક આચર્યું તેથી સાતિચાર સામાયિક કરી શ્યામલ મરણ પામી અ૫ રૂદ્ધિક દેવ થયે. વળી કુલધર વણીક નિરતિચાર સામાયિક પાળી પર્વતમાં અનશન વિધિ વડે કાળ કરી સૌધર્મ દેવલેકમાં ઈદ્રનો સામાનિક દેવ થયે. પછી પિતાના મિત્રનું સ્મરણ કરી તે હેની પાસે ગયા. શ્યામલ દેવ હેને જોઈ પૂછવા લાગ્યા, તું કેણ છે? હરિ સામાનિક દેવ બોલ્ય, હું હારો કુલધર નામે મિત્ર છું. તે સાંભળી શ્યામલે અવધિ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy