SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્લભનીકયા. : (૨૫) દુખના સ્થાનભૂત આ -ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી કોઈપણ વિશેષ વ્રતને સ્વીકાર કરે. અને હવેથી હારી માતા વિગેરે સ્વજન વર્ગનું પાલન પોષણ હારે કરવું. વળી દીનજને ઉપર દયા રાખવી, જેથી ત્યારે દ્રવ્યને ટેટે રહેશે નહીં. પુત્ર બલ્ય, હતાત ! આપ કેની પાસે વ્રત ગ્રહણ કરવા ધારે છે? પિતા ત્યે, ઘેરથી નીકળ્યા બાદ જે મળશે તેમની પાસે લઈશું. એમ કેટલીક વાતચીત કરી પુત્ર સાથે શ્રેષ્ઠી નગરની બહાર ગયો. તેટલામાં ત્યાં મહાજ્ઞાની સુસ્થિત આચાર્ય સન્મુખ આવતા હતા. તેમની આગળ જઈ શ્રેણી વંદન કરી બોલ્યા, હે ભગવાન ! કૃપા કરી મહને જૈન દીક્ષા આપે, ત્યારબાદ આ ચાર્ય મહારાજ ત્યાંથી જૈનમંદિરમાં ગયા. અને પ્રભાવના પૂર્વક વિધિ સહિત શ્રેષ્ઠીને દીક્ષા આપી. પછી નવિન દિક્ષીત થયેલા સાગરદન મુનિએ વિધિ પ્રમાણે બન્ને પ્રકારની શિક્ષા–સમાચારી ગુરૂમુખથી ગ્રહણ કરી. ત્યારપછી એગ્ય સમયે અપૂર્વ એવી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી હું ભવ્ય જીવોને પ્રતિબંધ આપું છું; હે સુભગ ! તે ચરે સુવર્ણ આપનાર જે મુનિ કહ્યા હતા તેજ હું પોતે છું. આ પ્રમાણે મુનિનું ચરિત્ર સાંભળી દુર્લભને વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ અને તે બે , હે ભગવાન! દુર્લભને પ્રમાદ. શ્રાવકધર્મને ઉપદેશ આપી સંસાર સાગરમાં થી હાર આપ ઉદ્ધાર કરો. ત્યારબાદ મુનિએ બાર પ્રકારના શ્રાવક ધર્મને ઉપદેશ આપે. જેથી દુર્લભે વિધિપૂર્વક તેને સ્વીકાર કર્યો. અને પોતાને ઘેર ગયો. બીજે દિવસે પતાના પિતાને પણ ગુરૂ પાસે લઈ ગયે. અને તેમને પણ શ્રાવકધર્મ અપાવ્યો. ત્યારબાદ પિતા પુત્ર બને જણ ઉપગ સહિત પ્રયત્ન પૂર્વક ધર્મપાલન કરે છે. પછી કેટલાક સમય વ્યતીત થતાં
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy