SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહવણિકનીક્યા. (૨૪૫). અને પ્રારંભ કર્યો સમુદ્રમાં પડેલા રત્નની પેઠે આ સંસારમાં મનુ ષ્યભવ બહુ દુર્લભ છે. માટે ભવ્યાત્માઓએ મનુષ્ય ભવ પામીને સુગતિના માર્ગમાં યત્ન કરે છે ભગવાનની પૂજા,વ્રત પાળવામાં પ્રીતિ, સામાયિક અને પૌષધમાં પ્રયાસ કરો, સુપાત્રમાં દાનબુદ્ધિ, ઉત્તમ તીર્થોમાં ગમન, અને મુનિઓની સેવા એ સુગ તિનો માર્ગ છે. એ પ્રમાણે બહુ વિસ્તારથી સૂરિએ દેશના આપી. ત્યારબાદ વૈરાગ્યથી ખેંચાયું છે ચિત્ત જેનું એવું તે શ્રેષ્ઠી સૂરિની આગળ હાથ જોડી બે, હે ભગવાન ! આપની કૃપાથી હમેશાં જીન પૂજા કરૂ છું. પરંતુ હારા પુત્ર હને હસે છે અને કહે છે કે હેવાત! હમેશાં તમે પૂજા કરે છે પણ તેનું કંઈ પણ ફલ દેખાતું નથી. ઉલટું પ્રથમ મેળવેલું ધન પણ ઘરમાંથી ચાલ્યું ગયું. તેમજ લોકો પણ એમજ કહે છે કે મુનિદાસનું ધન ધર્મથી નષ્ટ થયું. આ પ્રમાણે કે ધર્મની હેલના કરે છે. પરંતુ તેઓનું વચન કિંચિત્ માત્ર પણ મહારા હૃદયમાં અસર કરતું નથી. છતાં હે મુનિંદ્ર! તેઓને સ્થિર કરવાને જે કંઈ પણ ઉપાય હોય તો હું સુખેથી ધર્મ કરી શકું. એમ કહી શ્રેણી મન રહ્યા. પછી સૂરિએ ઉપકાર જાણે નિર્દોષ અને પાઠ સિદ્ધ એવા એક મંત્રને ઉપદેશ આપે, અને હેને વિધિ બતાવ્યા કે કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં કાર્યોત્સર્ગો ઉભા રહી તમારે આ મંત્રનું સ્મરણ કરવું એટલે મુહૂર્ત માત્રમાં કપર્દિ નામે યક્ષ પ્રત્યક્ષ થઈ હને કહેશે કે યોગ્ય વરદાન માગી ત્યારે હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગવું. એમ કહી સૂરિએ ત્યાંથી વિહાર કર્યો. મુનિદાસ શ્રેષ્ઠી કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં • ગયે અને કાયોત્સર્ગ કરી વિધિ પ્રમાણે કપદયક્ષ. સૂરિએ આપેલા મંત્રને પાઠ કરવા લાગ્યું. ક્ષણ માત્રમાં યક્ષ પ્રગટ થયો. શ્રેષ્ઠીને કહ્યું
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy