SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૪) થી સુપાર્શ્વનાથચરિત્ર, ગભરાઈ ગયા. અને અનેક ઉપચાર કરવા લાગ્યા વળી રાજાએ પણ નગરમાં આ પ્રમાણે પટહશેષણું કરાવી છે કે જે કુમારને સજીવન કરે હેને અર્થે રાજ્ય આપવું. તે સાંભળી સહદેવે વિમલને કહ્યું કે ઠીક છે તમે ઉપચાર કરે આપણે પાસે દેવતાએ આપેલે મણિ મણિને પ્રભાવ છે તેને પાણી સાથે ઘસીને તે પાણી છાંટે જેથી કુમાર સજીવન થશે અને આપણને અધું રાજ્ય મળશે. વિમલ બોલ્યા ભાઈ! આ મહેોટા પ્રમાણવાળા પરિગ્રહને આશ્રય કરે આપણને ચગ્ય નથી. વળી દોષનું મુખ્ય કારણભૂત આ રાજ્યનું પણ આપણે શું પ્રજન છે ! એ પ્રમાણે વિમલનું વચન સાંભળી સહદેવ જો તમે રાજ્ય મેળવીને આપણું કુટુંબનું દરિદ્ર જલદી દૂર કરે. તેમજ રાજકુમારને જીવતે કરી મણિ રતનું માહાસ્ય પણ આપણે જોઈએ. વળી કોઈપણ પ્રકારે આ રાજકુમાર સજીવન થશે તે ધર્મ પણ પામશે. એમ સહદેવનું વચન સાંભળી વિમલ માન રહ્યો. એટલે સહદેવે વિમલના વસ્ત્રની ગાંઠ છોડી મણિ લઈ લીધો. અને બહુ ખુશી થઇ તેણે ધોષણા કરતા નગારાને સ્પર્શ કર્યો. તેથી રાજ પુરૂષે તેને રાજકુમાર પાસે લઈ ગયા. પછી સહદેવે પાણીમાં મણિ ઘસીને કુમારને છાંટયું કે નિદ્રામાંથી જાગ્રત થએલાની માફક તે કુમાર દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યું, અને પોતાની પાસે ઉભેલા સર્વે લેકેને જોઈ પોતાની માતાને તેણે પૂછયું કે, આ સર્વે લેકે અહીં કેમ આવ્યા છે ! પછી હર્ષને લીધે અશ્રુ ધાશને વહન કરતી એવી તેની માતાએ વિસ્તારપૂર્વક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ સહદેવને અર્ધ રાજ્ય આપવા માટે રાજાએ પ્રાર્થના
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy