SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વસેનની કથા. (૧૯૧) દેવ અને દેવીએ મુનીંદ્રને નમસ્કાર કરી કુમારને કહ્યું કે એક ક્ષણમાત્ર અમારું સંગીત તથા નૃત્ય દેવેનું સંગીત જુઓ.!તે સાંભળી કુમાર નીચે બેઠે એટલે તેઓએ તત્કાલ કલ્પિત દેવદેવીઓનાં બહુ સ્વરૂપ કરી નાટકને પ્રારંભ કર્યો. આશ્ચર્યની માફક તે જોવામાં કુમાર તલ્લીન થઈ ગયે એટલે તે દેવામાંથી સંધ્યા સમાન વર્ણવાળે નૃત્ય કરતે એક વ્યંતર દેવ વિલાસવતીના કંઠમાં વળગીને બે હે વત્સ ! આજે સાતમા દિવસે તું જોવામાં આવી હું હારા બાપની મા છું. હારા વિયોગને લીધે ગળે પાશા બાંધી કાળ કરીને હું વ્યંતરી થઈ છું. વિભંગ જ્ઞાનવડે હને અહીં જાણુને બહુ પ્રેમને લીધે હું આવી છું. વળી ત્યારે પિતા પણ હારા વિરહથી હૃદય ભેદીને મરી જશે. કારણકે જે દિવસે લ્હારૂં હરણ થયું છે ત્યારથી તેણે નિદ્રા તથા ભેજનાદિકને ત્યાગ કર્યો છે. અને હું તે તેજ વખતે પ્રાણુ વિયુક્ત થઈ છું. વળી તે દિવસે સર્વત્ર શેધ કરાવી પરંતુ કેઈપણ ઠેકાણે ત્યારે પત્તો મળે નહીં તેથી હારા પિતા વિગેરે મહા દુઃખ સાગરમાં ડૂબી ગયા છે. માટે તમે સર્વે અહીં ક્ષણમાત્ર સ્થિતિ કરે. જેથી હે પુત્રિ ! હું હારા પિતા રણમલ રાજાને લઈ જલદી અહીં આવું છું. એમ કહી તે વ્યંતરી ક્ષણ માત્રમાં ત્યાં જઈ તેના પિતાને લઈ ત્યાં પાછી આવી. રણમલ્લ પણ મુનીંદ્રને વંદન કરી નીચે બેઠે. ત્યારબાદ કુમારાદિક સર્વે અને તેને નમ્યા. પછી રણમલ્લ બોલ્યા હે વિલાસવતી? હારી માના કહેવાથી સર્વ સમાચાર જાણ્યા એમ તે વાત કરતે હતા તેવામાં કુમારને પિતા પુરંદર રાજા પણ તેની શોધ કરતે ત્યાં આવ્યું. રણમલ્લ વિગેરે સર્વે ઉભા થઈ રાજાને પ્રણામ કરી વિનયપૂર્વક નીચે બેઠા. ત્યારબાદ મુન પણ ફરીથી તેઓને ઉદેશી દેશ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy