SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કરી વિધિ સહિત પાળ્યાં હોય, તેણે અંત સમયમાં ઉપયોગપૂર્વક સમાધિ મરણ માટે સંલેખના કરવી. આ ઉપર મલયચંદ્રનું દષ્ટાંત પ્રભુ કહે છે.. આ કથાવાળું પ્રકરણ અતિ ઉપયોગી છે. મનુષ્ય માત્રને મૃત્યુ આવવાનું જ છે. તે અંત સમયે જે ધર્મના આરાધનપૂર્વક સમાધિ મરણ પામવું તે દુર્લભ છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષની તથા જધન્યથી છ માસની છે. અને જે ધર્મધ્યાન–વ્રતપ્રતિપાલન–સમ્યકત્વમૂલ બારવ્રતનાં આરાધન આદિનો અભ્યાસ હોય તો છેવટે અભ્યાસથી પણ સમાધિ મરણ થાય. આ કથામાં મહાસેન રાજા અને મલયચંદ નામે તેને મિત્ર સ્વારી સહિત સુંદર અોપર બેસી ફરવા નીકળે છે. તે રાજાના સિદ્ધાર્થ નગરના વર્ણનમાં તે નગરના વૈભવ આદિના વર્ણનમાં લેખકે પાંડિત્યની પરાકાષ્ટા કરી છે. છતાં તત્સમયનાં નગર દર્શન કરાવી તે નગરનાં વખાણ કરવામાં અપૂર્વ ચાતુર્ય બતાવ્યું છે – સિદ્ધાર્થનગર ! તેમાં બંધ તે કાવ્યમાં અને સરોવરની પાળમાંજ રહેલે છે ! અન્યમાં નહિ !'ચિંતા તે ધર્મ કાર્યમાંજ! રાગ તે મુનિઓ અને સર્જન ઉપરજ ! વ્યસન દાન આપવાનું જ ! વિલાસ ! વિલાસવતી સ્ત્રીઓના કેશ કલાપમાંજ ! વાહ વણન શૈલી ! અપ્રતિમ કલ્પનાના ભોગી રસતરંગોમાં વિહરતા, ધર્મરત્નના ઝવેરી આ ગ્રંથના આ લેખકને તે નમાજ પડાય છે. • ' રાજા તથા તેનો મિત્ર બને ઘોર જંગલમાં આવી પહોંચે છે. ઘોડાઓ વિરમતાં જ મૃત્યુ પામે છે. તૃષાતુર રાજા મલયચંદ્રને પાણીની શોધમાં મોકલે છે. ત્યાં મહામુનિને જોતાંજ પાણી બતાવવા વિનવતાં મહાન રાજાનું નામ દે છે. મુનિ તે મૌન રહે છે પણ ત્યાં બેઠેલી એક મૃગલી આ મહાસેન નામ સાંભળી ઉભી થઈ–મલયચંદ્રને સાન કરી દેરી જઈ પાણી અપાવે છે ને રાજા પાસે મલયચંદ્ર સાથે જાય છે. રાજા તથા મૃગલી સાથે મલયચંદ્ર ગુરૂદેવ પાસે આવી ધર્મશ્રવણ કરી રાજા મૃગલીને અધિકાર જાણવા મુનિને પુછતાં તે તેની પૂર્વભવની સ્ત્રી બંધુમતી છે એમ કહી તેનું પુર્ણ વૃત્તાંત જણાવે છે. પૂર્વભવમાં બંધુમતિનો રાજાએ અસત્કાર કરવાથી તેણી ઉપવનમાં જઈ ઉંચી ધર્મભાવનાઓ ભાવે છે અને આમ વિચારમાં
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy