SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય વચન દુપ્રણિધાનાતિચાર–સામાયિક ગ્રહણ કરી અને ગ્ય વચન બોલવું તે-પર વિસઢ શ્રેષ્ટિની કથા. તૃતીય ક્રયદુપ્પણિધાનાતિચાર–સામાયિકમાં રહી ઉપગ ન્ય થઈ અપ્રમાત સ્થાનમાં આસનાદિ કરવું તે-પર શ્યામલ વણિકની કથા. ચતુર્થ અનવસ્થાનાતિચાર–સામાયિક ગ્રહણ કરી તેને મયદા યુક્ત સમય પૂર્ણ ન કરો વા સામાયિકમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે–પર વરૂણ શ્રેષ્ઠિની કથા. પંચમ સ્મૃતિ વિહીનતાતિચાર–ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શુન્યચિત્તે પાળવું તે-પર સોમ વણિકની સ્થા. દેશાવકાશિક વૃત્ત–વિસ્તાર સહિત એવાં પણ દરેક વ્રતના ગ્રહણ કરેલા નિયમને પ્રાયે જે સંક્ષેપ કરવામાં આવે તેપર શંખકુમારની કથા. પ્રથમ આનાયનાતિચાર ગ્રહણ કરેલા અવધિની બહારથી, ગ્રામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે તે-પર વિંધ્ય વણિકની કથા. દ્વિતીય પ્રેષણાતિચાર–દિગવકાશન નિયમ લઈ–પોતે ન જતાં બીજાને મોલ તે-પર સટ્ટ શ્રેષ્ટિની કથા. તૃતીય શબ્દાતિચાર–દેશાવકાશિક વૃત લઈ કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરવા તે-પર અતિસાગર મંત્રિની કથા. . ચતુર્થ સ્વરૂપ પ્રદર્શનાતિચાર–દેશાવકાશિક વ્રત ગ્રહણ કરી કઈ કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પિતાના સ્વરૂપનું ભાન કરાવવું તે-પર કૃષ્ણની કથા. પંચમ પુદ્ગલ ક્ષેપોતિચાર—દેશાવકાશિક વ્રત ગ્રહણ કરી કાંકરા વિગેરે વસ્તુઓના પ્રક્ષેપવડે પોતાને જાહેર કરે તે-પર સમષ્ટિની કથા. પષધવ્રત–ભવ્ય પ્રાણિઓએ આહાર-દેહસતકાર-બ્રહ્મચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પૌષધવત દેશથી કિવા સર્વ પ્રકારે પાળવું તેપર મલયકેતુ રાજાની કથા.
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy