SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૮) શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. કામરૂપી મદોન્મત્ત હસ્તીના ગંડસ્થળ ભેદવામાં સિંહ સમાન, વિશુદ્ધ ગુણરૂપી રત્નોને આશ્રય આપવામાં રહણગિરિ સમાન અને પાંચ પ્રકારના શુદ્ધ આચારના પાલન કરનાર એવા સર્વે આચાર્યોને નમસ્કાર કામરૂપી અગ્નિને શાંત કરનાર, નિરંતર મુનિઓને ઉચિત સ્વાધ્યાય દાન આપવામાં મગ્ન થએલા અને સિદ્ધિરૂપી સ્ત્રીએ હમેશાં ધ્યાન કરાએલા; સમસ્ત ઉપાધ્યાયને પ્રેમ પૂર્વક નમસ્કાર, વળી જેઓએ સર્વ સંગને ત્યાગ કર્યો છે, તેમજ પ્રબળ તપશ્ચર્યાવડે જેઓનાં સર્વ અંગ સુકાઈ ગયાં છે અને બહુ પ્રકારના ઉપસર્ગો સહન કરવામાં જેઓને નિશ્ચય દત હેય છે એવા મુનિને બહુ ભક્તિ પૂર્વક અમે નમસ્કાર કરીએ છીએ. વળી જેઓએ સંસારરૂપી કુવામાં પડેલા સર્વ જગતને ઉદ્ધાર કર્યો છે એવા પરમ પુરૂના શરણને આ દાસ જન પ્રાપ્ત થએલો છે. “આ પ્રમાણે પરમપદે વિરાજમાન, સર્વ દુઃખથી વિમુક્ત, નિર્ભય સ્થિતિવાળા અને ત્રણે કાળમાં રહેલા એવા પંચપરમેષ્ઠીઓનું જે સ્તવન કરે છે તે પ્રાણી અતિ દુરસ્તર :ખ સાગરને તરી જાય છે. અને તે સ્તોત્રમાં લક્ષ રાખવાથી સાધુ અગર શ્રાવક મેક્ષ સુખને પામે છે.” આ સ્તોત્ર ભણીને મનેરથે ફરીથી કુમારના કાનમાં વિધિ પૂર્વક ધ્યાન સહિત છે ફી ગ્નિપરમેષ્ટિને નમ: એ મંત્રને એકવીશ વાર પાઠ કર્યો. આ મંત્ર શ્રવણના પ્રભાવથી વ્યંતરે ગ્રહણ કરેલે રાજકુમાર બોલ્યા પરમ દયાળુ એવા હે ધર્મબંધુ? હાલમાં હે મહારે ઉદ્ધાર કર્યો. કારણ કે પંચપરમેષ્ઠીનું તેત્ર સાંભળવાથી મહને અવધિ જ્ઞાન થયું છે. જેથી પૂર્વ ભવનું મહને જ્ઞાન થયું છે. તેમજ સૂર્યના તેજથી અંધકારની માફક હારૂં મિથ્યાત્વ દૂર થયું છે. હવે વ્યંતર પિતાને પૂર્વભવ કહે છે કે પ્રથમ ભાવમાં શ્રાવક ધર્મને કલંકિત કરી આયુષના અંતમાં પુણ્ય વ્યંતરપણે મહારગની જાતિમાં ઉત્પન્ન થયો છું. વળી તેજ હું વનની અંદર
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy