________________
(૧૩૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. લેક હર્ષ ભર્યા કયાં જાય છે? ઇદ્ર, નાગેન્દ્ર કે કાર્તિક સ્વામીને મહત્સવ આજે હોય તેમ દેખાય છે. કારણકે લેકે બહુ ઉમંગથી શણગાર સજી ચાલ્યા જાય છે. પછી સેવક બલ્ય, રાજાધિરાજ ! આજે પૂર્વ દિશાના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક જ્ઞાનસાગરસૂરિ પધાર્યા છે. તેમને વાંચવા માટે આ લેકે જાય છે. તે સાંભળી રાજા પણ પિતે તત્કાલ સજજ થઈ સર્વ રૂદ્ધિ સહિત ત્યાં જઈ વિનયપૂર્વક સૂરિશ્વરને વંદન કરી જૈનધર્મની વ્યાખ્યા સાંભળતે હતે, તેટલામાં અકસ્માત્ ત્યાં એક દેવનું જેડલું આવ્યું. તેમાંથી એક દેવે અપ્સરાઓ પાસે સંગીતને પ્રારંભ કરાવ્યો. અને બીજે દેવ મને હર શબ્દવડે સુવર્ણથંગ (શરણાઈ ) ને વગાડતો છતે જેઓના કંઠમાં ઉત્તમ ખેતી. એના હાર દીપતા હતા, શરીરે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં અને જેમના પુર્ણ અને ઉન્નન સ્તનમંડલ ઘણાં શોભાયમાન દેખાતાં હતાં એવી ગોવાલણ એની પાસે નૃત્યની શરૂઆત કરાવી. તેમજ તેઓ બહુ હાવભાવ અને અભિનય બતાવતી હતી. વળી તેઓના હૃદયમાં બહુ ગુરૂભક્તિ દેખાતી હતી. મયમાં છે દેના ઉચ્ચાર કરતી હતી, તેમજ જીતેંદ્ર ભગવાનની સ્તુતિ કરતી હતી, કે જેમણે મણિસુવર્ણ વિગેરે ધનને સર્વથા ત્યાગ કર્યો છે, જેમના ચરણ કમલમાં સુરેંદ્રો તથા નરેદ્રો નમન કરે છે. સાતનય સહિત સમ્યકશ્રુતિવડે ઉત્તમ સૂત્રેની વ્યાખ્યા આપવામાં બહુ કુશલ, તેમજ પિતાના વચનામૃતવડે દેવનઈંદ્રાદિક સર્વ પ્રાણુઓને સંતોષ આપનાર, મનુષ્યના હૃદયરૂપી માનસરોવરમાં ઉજવલ હંસ સમાન, શ્રેષ્ઠ એવા જ્ઞાન રૂપી મહાસાગરના પારગામી, ગર્વ રહિત સર્વ સમાદિ ગુણેના આધારભૂત, ગુણ સંપદાવડે વિભૂષિત, નિર્મળ બુદ્ધિના ધારક, ઉન્નત તથા સ્થિરતા ગુણમાં મેરૂ સમાન, યુગ પ્રમાણ અવલોકન