SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ નવધનશ્રેણીની કથા. (૧૧૭) કરી નરેદ્ર સહિત તે ચારે જણા ઉત્તમ હસ્તિઓ ઉપર બેસી બહુ આનંદથી મુનીંદ્રની પાસે ગયા. સૂરિએ પણ મંત્રી પ્રમુખને વિધિ પૂર્વક દીક્ષા આપી. અનુક્રમે તેઓ કર્મ પાશથી મુક્ત થઈ સિદ્ધિ સુખ પામ્યા. રાજાએ પણ શ્રાવકધર્મને સ્વીકાર કરી સંપ શેઠાણીને પિતાની બહેન તરીકે માની લીધી. અને તેના પતિને પણ બીજા ગામમાંથી બેલાવી નગર લોકોની સાક્ષીએ તેને નગર શેઠની પદવી આપી ત્યારબાદ તે ઠાકોરને બોલાવી તેનું માગતું દ્રવ્ય પણ અપાવરાવ્યું. નવઘન સહિત સંપઃ શેઠાણ વિશેષે કરી જેન મર્ધમાં તત્પર થઈ. કેટલોક સમય વ્યતીત થયા નવઘનને પ્રમાદ. બાદ રાજમાન્યના અભિમાનથી નવઘન બહુ પ્રમત્ત થયો અને પિતાની નજીકનાં કર અરજી તને તાબે કરવા લાગ્યું. તેથી તેની સ્ત્રીએ કહ્યું કે એમ કરવાથી તમને અતીચાર લાગશે. કારણ કે પાંચમા અણુવ્રતમાં એક ઘર રાખવાનું તમે કહ્યું છે. અને તેજ પ્રમાણે તમેએ ગુરૂ પાસેથી વ્રત સ્વીકારેલું છે. નવઘન બે હે ચંદ્રાનને? એક ઘર કદાચિત્ નષ્ટ થાય તો શું બીજું ન જોઈએ? સ્ત્રી બેલી પરંતુ તહારૂં વ્રત નષ્ટ થવાથી સમસ્ત નષ્ટ થયું એમ નિશ્ચય જાણજે. વળી તમે આ પ્રમાણે નિરપેક્ષ થઈ હારી આગળ ખોટા ખોટા ઉત્તર આપે છે માટે ઘર સહિત તખ્તાર ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી તેણીએ સદ્ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી અને પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. નવઘન શેઠ પણ ધાર્મિક અને વ્યવહારિક એમ બંને પ્રકારની સંપદાઓથી વિમુક્ત થયે અને ધર્મહીન થવાથી તે ઘરને અધિપતિ વ્યંતર દેવ તેને વળગે. જેથી તે ઉન્મત્ત થઈ ગાંડાની માફક નગરની, અંદર ભ્રમણ કરવા લાગ્યો. તેની ચારે તરફ છોકરાં વીંવમાં
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy