SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સુયશપ થા. ( ૯૯) થાય છે. કેટલીક પ્રમદાની ઉપર પગ નાખે છે, અન્યની ઉપર બહુલતા સ્થાપન કરે છે. કેટલીક તો તેના કેશની સેવા કરે છે. વળી કેટલીક સ્ત્રીઓ તેની જંઘાદિકની સેવામાં હાજર રહે છે. એવી રીતે કામગ્રહથી ગ્રસિત થએલે તે સર્વ સ્ત્રીઓને ઉદ્યોગ કરાવે છે. હવે સંસારથી વિરક્ત થઈ તેની રાણીઓ પણ વિચાર કરવા લાગી કે, આ એક આશ્ચર્ય છે! જેકે રાજા મરવા સુતા છે, તો પણ તેના મનમાંથી વિષયવાસના દૂર થતી નથી. મહરાજાનું મહામ્ય અલૈકિક છે. એમ સમજી સ્ત્રીઓએ કહ્યું, હે સ્વામિન્ ! હવે તમ્હારી આખર વખત છે માટે ધર્મ સેવનમાં પ્રીતિ કરી. પોતે આચરણ કરેલો ધર્મ સાથે આવે છે. અને જન્માંતરમાં દુઃખક્ષક પણ ધર્મ જ થાય છે. આ સર્વ સ્ત્રીઓ, ચતુરંગસેના, સર્વ સંપત્તિઓ વિગેરે કોઈપણ અન્યભવમાં સાથે આવી સહાય કરે તેમ નથી. વળી હે નાથ ! ધર્મ શિવાય કોઈ સત્ય સહાય કરનાર નથી માટે અમહારા ઉપરથી પણ મેહ છેડી દઈ પોતાનું આત્મ હિત ચિંત, તે સાંભળી રાજા પ્રકુપિત થઈ બોલે –તહારી સર્વ વાત મહારા જાણવામાં આવી છે. હાલમાં તમે મહારૂં મરણ ઈચ્છો છો, એમ બહુ કેપ કરવાથી બહુ વેદનાઓ વધી પડી, તેમજ વિષયવાસનાથી સ્ત્રીઓમાં લુબ્ધ થઈ મરણ પામી આધ્યાનને લીધે તિજાતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી અન્યભવમાં ફરીથી બોધિજ્ઞાન પ્રાપ્ત કરી સંસારમાં બહુ દુ:ખ સહન કરીને સુયશરાજાને જીવ કર્મને ક્ષય કરી અંતે મોક્ષસુખ પણ પામશે. હે ભવ્ય પ્રાણીઓ ? જેવા રીતે આ સુયશરાજાએ પ્રથમ ધર્મસામગ્રી પ્રાપ્ત કરી હતી, છતાં તે કામાતુર થવાથી સર્વ હારી ગયે અને બહુ દુ:ખી થયે. તેમ સુખાથી પુરૂષએ કામક્રિડામાં લબ્ધ થવું નહીં. વળી જે મહાત્માઓ નિશ્ચયપણે કલંકરહિત શીલત્રત ધારણ કરે છે તે આ જગતમાં વંદનીય થઈ સર્વ ક
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy