________________
૩૨૮
ગાદિ શુભભાવેથી અતિશય વધતે તે અનેક ભવાની પારમાર્થિક આરાધનાથી મોક્ષને હેતુ, સર્વોત્કૃષ્ટ પુષ્યના સમૂહની પ્રાપ્તિ થવાથી સંપૂર્ણ મુખ્ય પરાર્થને હેતુ, અને તીર્થંકરાદિરૂપે જન્મ થાય તે સર્વોત્તમ અંતિમ ભવ પામે છે.
૩૫. અંતિમ ભવનું વર્ણન તત્થ કાઊણ નિરવ કિચ્ચે, વિઅરયમલે સિજ્જઈ, બુજઝઈ, મુચ્ચઈ, પરિનિવ્વાઈ, સવદુખાહુમત કરેઈ છે
અંતિમ ભવમાં મહાન જીવોને જે ઉચિત હોય તે સઘળાં કર્તવ્ય કરીને કર્મરૂપ રજથી રહિત બને તે સિદ્ધ થાય છે = અણિમાદિ લબ્ધિઓને પામે છે, બુદ્ધ થાય છે = કેવલજ્ઞાન પામે છે, મુક્ત થાય છે = સર્વ કર્મોથી રહિત બને છે, પરિનિર્વાણ પામે છે = સંપૂર્ણ સુખ પામે છે. આ રીતે તે સર્વ દુઃખને અંત કરે છે.