________________
૩૩૩
અને ધર્મસાધના કરતાં કરતાં એ શુદ્ધ ભવ પ્રાપ્ત કરે છે કે જે ભામાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ શુદ્ધભવ ભોગક્રિયા માટે સુરપાદિ સમાન છે અને ભાવ એ છે કે, સુંદર રૂપ, યૌવન, વિચક્ષણતા, સૌભાગ્ય, મધુરસ્વર અને અધય એ ભેગનાં સાધનો છે. દુન્યવી દષ્ટિએ વિચાર કરવામાં આવે તે જેની પાસે ભેગનાં. આ સાધન હોય તેની ભેગની ક્રિયાઓ સારી થાય, સંપૂર્ણ થાય. તેવી રીતે તારિવકદષ્ટિએ વિચારણા કરવામાં આવે તે મોક્ષસાધક શુદ્ધભવવાળાની ભોગક્રિયાઓ સારી થાય છે, સંપૂર્ણ થાય છે. (તતઃ = ) તેનાથી, એટલેકે સુરૂપાદિસમાન ભાવથી, ભેગક્રિયાઓ સંપૂર્ણતા પામે છે કારણ કે ભેગક્રિયાનાં સાધને સંપૂર્ણ હોય છે. ભેગસાધનેમાં ન્યૂનતા કે ખામી ન હોવાથી એ સાધનેને ભેગવટે કરતાં કોઈ જાતને સંલેશ ન થવાથી ગિક્રિયાએ સંકૂલેશ રહિત સુખરૂપ છે. (સંક્લેશ રહિત સુખનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સંક્લેશ રહિત સુખરૂપ છે.) ભેગક્રિયા કરનાર વિચક્ષણતા (પને સંતાપ ન થાય તેમ વર્તવું જોઈએ ઈત્યાદિ બુદ્ધિ) વગેરે ગુણોથી યુક્ત હોવાથી તેની ભેગક્રિયાઓ બીજાને સંતાપ પમાડતી નથી, અને એથી જ (= વિચક્ષણતા. વગેરે ગુણોથી યુક્ત હોવાથી) અનુબંધ થવાથી (= ભવાંતરમાં પણ તેવી જ ભેગક્રિયાની પ્રાપ્તિ થવાથી) સુંદર છે. આવી ભેગક્રિયાઓથી અન્ય ભેગક્રિયાઓ સંપૂર્ણ નથી.