________________
૩૮ કે ગુરુ ઉપરના વ્યક્તિગત સનેહથી પ્રેરાઈને નહિ, આ પણ મારું આ કર્તવ્ય છે, એવી બુદ્ધિથી સહજપણે ગુરુભક્તિમાં પ્રવૃત્તિ થાય છે. (૨) આમાં ઔદયિક ભાવ ન હોવાથી આ ભકિત ભાવની પ્રધાનતાવાળી છે. (૩) આમાં ભગવાન ઉપર બહુમાન થાય છે. કારણ કે જે મારા ઉપર બહુમાનવાળો છે તે જ પરમાર્થથી ગુરુ ઉપર બહુમાનવાળો + છે એવી ભગવાનની આજ્ઞા છે.
૨૨ ગુરુબહુમાન રહિત ક્રિયાનું ફળ સંસાર
અન્નહા, કિરિઆ અકિરિઆ, કુલડાનારીરિકરિઆસમા ગરહિઆ તત્તઈણ, અલગ, વિસણુતdફલમિલ્થ નાય, આવકે ખુ તસ્કુલ, અસુહાગુબંધે છે
ગુરુ બહુમાન વિના પ્રતિલેખનાદિ ક્રિયા કુલટા નારીની ઉપવાસાદિ ક્રિયાની જેમ અકિયા (= અસકિયા) છે. આથી પરમાર્થના જ્ઞાતાઓએ ગુરુબહુમાન વિનાની ક્રિયાની નિંદા કરી છે. કારણ કે તેનાથી સાંસારિક ફલ મળે છે. આ વિષયમાં વિષાક્નથી થયેલી તૃપ્તિનું ફળ દૃષ્ટાંત રૂપ છે. જેમ વિષ મિશ્રિત અન્નના ભજનથી
+ અગ્નિ વિના ધૂમાડે ન હોય, આથી જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ છે એમ સિદ્ધ થાય છે. તેમ ભગવાન ઉપર બહુમાન વિના પરમાર્થથી ગુરુ ઉપર બહુમાન ન હોય. આથી જેને ગુરુ ઉપર અસંગ ભક્તિથી બહુમાન છે તેનામાં ભગવાન ઉપર બહુમાન છે એ સિદ્ધ થાય છે.