SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ સકલેશયુક્ત, લેાકમાં દુઃખ કરનાર અંગારકમાંદિ રૂપ સમારંભ ન કરવા. (૧૭) ખીજા દુઃખી થાય એમ ન વિચારવું. (૧૮) કોઈ વસ્તુ ન મળે તેા દીનતા ન કરવી. (૧૯) કોઈ વસ્તુ મળે તેા ખુશી ન થવું. (૨૦) અતત્ત્વના આગ્રહ ન રાખવા. (૨૧) જિનવચનાનુસાર ઉચિતમાં મનને પ્રવર્તાવવું. (૨૨) અસત્ય, કઠોર, પપ્રીતિનિાશક, વૈશુન્યરૂપ અને વિકથા વગેરે સ ંબંધરહિત વચન ન ખેલવુ, કિંતુ શાસ્ત્રમર્યાદા પ્રમાણે હિતકર અને થોડુ (=જરૂર પૂરતુ) ખેલવુ’. (૨૩) જીવહિંસા ન કરવી. (૨૪) અલ્પ પણુ નહિ આપેલું કંઈ ન લેવુ. (૨૫) રાગથી પરસ્ત્રી પ્રત્યે દૃષ્ટિ ન કરવી. (૨૬) અશુભધ્યાન આદિ અનદંડનું સેવન ન કરવુ. (૨૭) આગમ પ્રમાણે શુભ કાયિક વ્યાપારો કરવા. (૨૮) ધનના લાભ પ્રમાણે દાન કરવું, લાભ પ્રમાણે પેાતાના ભોગમાં વાપરવું, લાભ પ્રમાણે પરિવારનું ભરણ-પોષણ કરવુ, લાા પ્રમાણે સંગ્રહ કરવા. (૨૯) પરિવારને સતાપ ઉપજાવવા નહિ. (૩૦) યથાશક્તિ સંસારનું સ્વરૂપ કહીને પરિવાર ઉપર ઉપકાર કરવો. (૩૧) ફુલની અપેક્ષા વિના (પરિવાર પ્રત્યે) અનુકંપા પરાયણ બનવું. (૩૨) સસ્પેંસારના સ્વરૂપની વિચારણા કરીને ભાવથી (પરિવારાદિના) મમત્વથી રહિત બનવું. જેમ પરિવાર સિવાયના જીવનું પાલન કરવાથી તેના ઉપર ઉપકાર કરવા દ્વારા ધર્મ થાય, તેમ મમત્વ રહિત ' અનીને પરિવારનું પાલન કરવા છતાં ધર્મ થાય. કારણ કે જીવા ઉપર ઉપકાર થાય છે. સર્વ જીવા જુદા જુદા છે. સમત્વ કર્મ બંધનું કારણ છે.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy