________________
૨૯૦
છે. ધર્મ પ્રત્યે દ્વેષ થવાથી અધિનું મુખ્ય કારણ છે. ધર્મ હલના કરાવવાથી પિતાને બેધિની (= જિનધર્મની) પ્રાપ્તિ થતી નથી. (૧૧) તથા એ પ્રમાણે વિચારવું કે આ અધિફલ (= મિથ્યાત્વ) મોટામાં મેટો અનર્થ છે, એનાથી વધીને બીજે કઈ અર્થ નથી, હિતનું જ્ઞાન ન થવાથી અંધાપે છે, નરકાદિમાં પતન થવાનું કારણ હોવાથી અનિષ્ટપ્રસંગોને જનક છે, સંકલેશની મુખ્યતાવાળું હોવાથી સ્વાભાવિક પણે અતિભયંકર છે, પરંપરાએ વિનાશનું કારણ હવાથી અશુભ અનુબંધ કરાવનારું છે. (૧૨) જેમ અંધ પડી જવા આદિના ભયથી પોતાને દોરનારને આશ્રય લે છે, રોગી દુઃખ-ભયથી વૈદ્યનું શરણું લે છે, જેમ દરિદ્ર આજીવિઠા માટે ધનવંતની સેવા કરે છે, જેમ ભય પામેલે માનવી મહાન નાયકને આશ્રય લે છે, તેમ સદ્ભક્તિ આદિથી ધર્મમિત્રની સેવા કરવી. ધર્મ મિત્રની સેવાથી અધિક બીજું કઈ સુંદર ન હોવાથી ધર્મમિત્રો પ્રત્યે બહુમાન ચુત બનવું. મને ક્યારે આજ્ઞા કરે! એમ ધર્મમિત્રની આજ્ઞાની આકાંક્ષા રાખવી, અને આજ્ઞા કરે ત્યારે તેને સ્વીકાર કરે, તેમની આશાના વિરાધક ન બનવું, ઔચિત્યપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવું.
(૧૩) ગૃહસ્થને યેચ ગૃહસ્થના આચારમાં સ્વીકારેલા ધર્મગુણને અનુરૂપ વર્તન કરવું. (૧૪) શુદ્ધ અનુષ્ઠાને કરવાં. (૧૫) શાસ્ત્રાનુસારે મન-વચન કાયાને વ્યાપાર શુદ્ધ કરવા. (૧૬) અનેક જીવોનો નાશ કરનાર, નિંઘ, બહુ