________________
૬. તત્સમ, તદ્ભવ અને દૃશ્ય શબ્દો
ભાષામાં શબ્દનું સ્થાન મહત્ત્વનું છે.. શબ્દ ન હોય તો ભાપા ન બને, અને ભાષા ન હોય તો આપણે આપણા વિચારો વ્યક્ત કરી શકીએ નહિ.
ભાષા આપણામાંના ઘણાખરા માણસોને મન વિચાર વ્યક્ત કરવાનું માત્ર સાધન છે. એટલું જ નહિ પણ એ ભણેલાં, અભાર. માંદાં, ખોડખાંપણવાળાં, દેશી, પરદેશી, બધાં જ માણસોનાં મોઢાંમાં રમતી હોવાથી, એની શુદ્ધિ સ્વાભાવિક રીતે જ જળવાતી નથી અને એના ઉચ્ચારોમાં પણ ઘણો ફેરફાર થયા કરતો હોય છે. પરિણામે, ભાષામાં કેટલાક શબ્દોનું મૂળ અને શુદ્ધ રૂપ જળવાઈ રહ્યું હોય છે તો કેટલાક શબ્દો મૂળ શબ્દોમાં ફેરફાર થતાં તૈયાર થયેલા હોય છે.
આપણી ગુજરાતી ભાષા મરાઠી, હિન્દી, બંગાળી વગેરે બીજી કેટલીક ભાષાઓની જેમ સંસ્કૃતમાંથી ઊતરી આવી છે. એટલે એમાં કેટલાક શબ્દો મૂળ સંસ્કૃતમાં છે તે જ સ્વરૂપમાં જળવાઈ રહ્યા છે અને કેટલાક શબ્દો સંસ્કૃત શબ્દોમાં ફેરફાર થતાં તૈયાર થયેલા છે. દાખલા તરીકે, સંસ્કૃત, મનુષ્ય, યત્ન, પ્રસંગ, કવિતા, વાચન વગેરે શબ્દોનું મૂળ સંસ્કૃતમાં છે તે જ સ્વરૂપ જળવાઈ રહ્યું છે. એટલે તેને તત્સત્ શબ્દો કહેવામાં આવે છે. તતું એટલે તે, સંસ્કૃત: સમ એટલે જેવા. તત્સમ એટલે સંસ્કૃત જેવા જ.
કામ, મારગ. આંખ, હાથ, ગુજરાતી, આંગળી વગેરે કેટલાક શબ્દો એ રીતે. શુદ્ધ સંસ્કૃત રૂપના નથી : પણ કોઈ ને કોઈ સંસ્કૃત શબ્દ ઉપરથી ઊતરી આવેલા છે. દાખલા તરીકે કામ ર્ન પરથી, મારગ મા પરથી, તો હાથ હસ્ત પરથી ઊતરી આવ્યા છે. સંસ્કૃત પરથી એ ઊતરી આવ્યા હોવાથી એને તમવ શબ્દો કહેવામાં આવે છે. તદું એટલે તે. સંસ્કૃત: મવ એટલે ઉત્પન્ન થયેલા. ઊતરી આવેલા. ભવ એટલે સંસ્કૃતમાંથી ઊતરી આવેલા. તદ્દભવ શબ્દો, અલબત્ત. ફાવે તેમ ઊતરી આવતા નથી. પણ ભાષાશાસ્ત્રના કેટલાક ર્નિયમો પ્રમાણે જ મૂળ શબ્દોમાં વિકાર-ફેરફાર થતાં બનતા હોય છે.
૪૪