SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ સ્ફોટ પૂરેપૂરો થાય છે. ' ઉક્તિમાં શ્રાવ્યતની પરાકાષ્ઠાનું વહન સ્વર કરે છે. સ્વર પાસે ઉક્તિની શ્રાવ્યતા સૌથી વધારે હોય છે. અર્ધસ્વર : શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનાર એક જ સ્વર હોય તો તે સાદો સ્વર simple syllable કહેવાય છે. પરાકાષ્ઠાનું વહન ઘણી વાર બે સ્વર પણ કરતા હોય છે. તેમાં એક પ્રધાન રહે છે અને બીજો અપ્રધાન. સ્વર ઉપરાંત અર્ધસ્વર પણ પરાકાષ્ઠાનું વહન કરે છે અને તે અપ્રધાન રહે છે.' હું અને વું અપ્રધાન રહેવાથી તે અર્ધસ્વર કહેવાય છે. પડિયો – પડ્યો સ્વર + ય સ્વર + વ પાયરી જીવડું કૉયલો પાવડી વની બે ઉપસ્થિતિ છે. ઉક્તિના આદિસ્થાનમાં આવે ત્યારે દંત્યોષ્ઠ સંઘર્ષો હોય છે, જ્યારે સ્વર અને વ્યંજન વચ્ચે આવે ત્યારે ઓક્ય જ હોય છે. ‘યું અને ‘વું પરંપરાથી અર્ધસ્વર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનારા બીજા બે ધ્વનિઘટકોને પણ સ્થાન આપવું પડશે. એક છે ‘હ અને બીજું અનુનાસિક માટે પરંપરાથી મુકાતું બિન્દુ. દહાડો કહોડ. પૉક હીને મહાપ્રાણ ગણવામાં આવે છે અને સામાન્ય રીતે તેને વ્યંજનના ખાનામાં મૂકવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ‘હની કામગીરી વિશિષ્ટ છે. હું જ્યારે વ્યંજન પછીથી આવે છે ત્યારે તેનું કાર્ય વ્યંજનને મળતું છે, પરંતુ સ્વર પછી જ્યારે તે આવે છે ત્યારે તેની કામગીરી સ્વરના જેવી છે. તે સ્વર સાથે અપ્રધાન રીતે પરાકાષ્ઠાનું વહન કરે છે તેથી તેને અર્ધસ્વર ગણવો પડશે. ભીંત
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy