________________
૧૮
સરળ ગુજરાતી વ્યાકરણ સમય વધતાં ધ્વનિની દૃષ્ટિએ તે એકવડા કે બેવડા થઈ શકે છે. લિપિમાં તે સંકેત બેવડો લખી યુક્તિથી દર્શાવાય છે. | ‘ઈ’ અને ‘ઉના લિપિમાં સામાન્ય રીતે બે સંકેતો બતાવવામાં આવે છે. આ દ્વારા એવું સૂચન થાય છે કે કાલમાન ગુજરાતી સ્વરો પર અસર કરે છે. વાસ્તવિક પરિસ્થિતિ આનાથી જુદી છે, ગુજરાતીમાં વ્યંજનનું બેવડાપણું છે, પરંતુ સ્વરનું બેવડાપણું આ અર્થમાં મહત્ત્વનું
નથી.
જંક્યર :
ઉક્તિની સીમા પર થતા સ્વતંત્ર ધ્વનિવ્યાપારોને જંક્યર દ્વારા સમજાવી શકાય છે. સ્વરોનું કાલમાન જંક્યરથી નિયત થયેલું છે તેથી કાલમાનનું વર્ણન સ્વર માટે જરૂરી નથી.
વાક્યમાં આરોહ-અવરોહ હોય છે. કોઈ ઉક્તિ ઊંચા સૂરથી શરૂ થઈ મંદ સરથી પૂરી થાય છે. વાક્યમાં વચ્ચે આવતો વિરામ (pause) પણ નવી તપાસ માગે છે. આરોહ-અવરોહ અને વિરામ તદન ભિન્ન ભિન્ન બાબતો છે. ઉક્તિની સીમા પ૨ આવતા વિરામને “જંક્યર” તરીકે સ્વીકારી અને તે દ્વારા થતા કેટલાક વ્યાપાર સમજવા જેવા છે. જંક્યર એ કોઈ ભૌતિક અસ્તિત્વ ધરાવતી બાબત નથી, પરંતુ ધ્વનિવ્યાપારમાં થતા ફેરફારની તે એક સમજ છે. ઉક્તિની સીમા પર આવતું જંક્યર અને ઉક્તિની મધ્યમાં આવતું જંક્યર એવી તેની બે એક ઉપસ્થિતિ કળી શકાય છે.
શ્રીપ્રકાશ શ્રી + પ્રકાશ છોકરાઓ + નજીક આવો. છોકરાઓ નજીક + આવો.
ઉક્તિના જ્યાંથી ભાગ પડે છે તેનો આગલો અક્ષર મંદગતિ બને છે અને સ્વર દીર્ધ બને છે.
| ગુજરાતી ભાષામાં સ્વરનું હ્રસ્વત્વ અને દીર્ઘત્વ બને છે. સ્વર જો જંક્યરની પૂર્વે આવે તો તે હંમેશાં દીર્ઘ હોય છે અને એ સિવાયની પરિસ્થિતિમાં હ્રસ્વ હોય છે. વ્યંજન જો જંક્યરની પહેલાં આવે તો તેનો