________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૩. પીવાનું પાણી ચોખ્ખું રાખો, ઉપરનાં વાક્યોમાં ‘દોડતી’, ‘છાપેલી’, ‘પીવાનું’ - એ પદો ફૂંદત છે. ‘દોડતી’ પદ ‘છોકરીના અર્થમાં વધારો કરે છે’, ‘છાપેલી’ પદ ‘ચોપડી’ના અર્થમાં વધારો કરે છે’ અને ‘પીવાનું’ પદ ‘પાણી’ના અર્થમાં વધારો કરે છે.’ ઉપર ‘દોડતી’, ‘છાપેલી’ ને ‘પીવાનું’ એ પદો વિશેષણ તરીકે છે. વળી, એ જ પદો કૃદંત છે. આ પદો કૃદંત છે અને વિશેષણ તરીકે વપરાયાં છે કારણ કે તે પદો વિશેષણના અર્થમાં વધારો કરે છે. આ રીતે કૃદંત વિશેષણ તરીકે પણ વપરાય છે. જ્યારે કૃદંત નામના અર્થમાં વધારો કરે છે ત્યારે તેનો ઉપયોગ વિશેષણ તરીકે થાય છે. ર. નામ તરીકે :
નીચેનાં વાક્યો વાંચો :
૧૮૪
૧. કવિતા ગૂંથતાં શીખે છે. ૨. કહેવું સહેલું છે. છાપેલું વાંચી શકાય છે.
3.
ઉપરનાં વાક્યોમાં ‘ગૂંથતાં’, ‘કહેવું’, ‘છાપેલું’ એ પદો કૃદંત છે. પહેલા વાક્યમાં ‘કવિતા’ કર્તા છે. કર્મ શું છે ? ક્રિયાપદને પૂછો, કવિતા શું શીખે છે ? એટલે કર્મ જડશે. અહીં ‘ગૂંથતાં’ કર્મ છે. કર્તા અને કર્મ તરીકે હંમેશાં નામ જ હોય છે.
બીજા અને ત્રીજા વાક્યમાં ‘કહેવું’ અને ‘છાપેલું’ કર્તા છે. કર્તા હંમેશાં નામ જ હોય છે. અહીં આ બંને કૃદંતોનો ઉપયોગ નામ તરીકે થયો છે. ‘ગૂંથતાં’ કર્મ છે. કર્મ હંમેશાં નામ જ હોય છે. ‘ગૂંથતાં' કૃદંતનો ઉપયોગ અહીં નામ તરીકે થયો છે. ટૂંકમાં, કૃદંત વાક્યમાં કર્તા અને કર્મને સ્થાને આવે ત્યારે તેનો ઉપયોગ નામ તરીકે થાય છે.
૩.
અવ્યય તરીકે :
જે પદમાં જાતિ, વચન કે વિભક્તિના કારણે કોઈ જ ફેરફાર થતો નથી તેને અવ્યય કહે છે.
નીચેનાં વાક્યો વાંચો :
૧.
જયેશ જમવા ગયો. ૩. બાળકો જમવા ગયાં.
૨.
જ્યોતિ જમવા ગઈ.
આજે જમવામાં મજા આવી.
૪. ઉપરનાં વાક્યોમાં ‘જમવા` પદ કૃદંત છે. ઉપરનાં વાક્યોમાં નામો
જુદી જુદી જાતિનાં છે, વચનમાં પણ ફેરફાર છે. છેલ્લા વાક્યમાં કૃદંતને