________________
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી સંવેગચંદ્રવિજયજી મહારાજ સાહેબ
સંવત ૨૦૫૩માં સંઘવી પૂર્વજોના કુટુંબમાં એક અનોખો ઇતિહાસ સર્જાયો. એક સાથે ત્રણ-ત્રણ કુળરત્નોએ મોટી ઉંમરે પ્રભુએ દર્શાવેલ આત્મકલ્યાણની ઉન્નતિને માર્ગે પ્રયાણ કર્યું.
શ્રી ચીમનલાલ ખીમચંદ સંઘવીના જ્યેષ્ઠ પુત્ર શ્રી શાંતિલાલભાઈએ બ્યાસી વર્ષની પાકટ ઉંમરે લઘુબંધુ શ્રી જયંતીભાઈ (ઉં. સડસઠ વર્ષ) તથા ધર્મપત્ની શ્રી વિરમતિબેનની (ઉં.વ. સડસઠ) સાથે દીક્ષા લઈ પ્રાયઃ કરીને છેલ્લી સદીમાં બ્યાસી વર્ષની ઉંમરે દીક્ષા લેનાર પ્રથમ વ્યક્તિ હશે અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દેવસૂરિજીના શિષ્ય બન્યા અને મુનિરાજશ્રી સંવેગચંદ્રવિજયજી બન્યા.
વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિના પ્રથમ કોમર્સ ગ્રેજ્યુએટ એટલે કે બી.કોમ. એકચ્યુરીયલ સાયન્સ સાથે બ્રિટિશ શાસનકાળમાં સને ૧૯૩૪માં
થયા.
આજે પણ નેવુ વર્ષની વયે સક્રિય છે અને સર્વ શ્રમણ-શ્રમણી વર્ગ તથા હાલમાં તેમાં સફળતાં મળી. રસ ધરાવનાર ભાષાના અભ્યાસીઓની માતૃભાષા ગુજરાતીના વ્યાકરણના જાણકાર થાય. તેના ફળરૂપે સંસ્કૃતપ્રાકૃત ભાષાઓના અભ્યાસ કરવામાં સરળતા રહે તે વિદ્વાનોની ભાષાના અભ્યાસમાં શીઘ્રતાથી પ્રવેશ કરી શકે તે હેતુથી સરળ અને લગભગ સર્વગ્રાહી ગુજરાતી વ્યાકરણ અન્ય પુસ્તકની શોધ ચાલુ રાખી.
આ કાર્યમાં પ્રો. રાજનભાઈ વાસણવાળાએ રસ લઈ ‘સરળ ગુજરાતી વ્યાકરણ' શોધી આપ્યું પરિણામે આ નવી આવૃત્તિ પ્રગટ થાય છે.
16