________________
૧૩૬
સરળ ગુજરાતી વ્યાકરણ ચાંદનીમાં સ્વયં શીતળતા રહેલી છે. સૂર્યનાં કિરણોમાં સ્વાભાવિક જ પ્રકાશ હોય છે, ગુલાબના પુષ્પમાં નૈસર્ગિક જ સુવાસ હોય છે એ જ રીતે એક શ્રેષ્ઠ કવિતા સ્વતઃ જ છંદોબદ્ધ હોય છે. છંદના પ્રકાર :
છંદના મુખ્ય ત્રણ પ્રકાર છે : (અ) અક્ષરમેળ, (બ) માત્રામેળ અને (ક) ગેય.
(અ) અક્ષરમેળ છંદ : જ્યાં ચરણોમાં માત્રાની ગણતરી ન થતાં અક્ષરોની (વર્ગોની) સંખ્યા અને વર્ષોના સંયોજનથી ગણ બને છે ત્યાં અક્ષરમેળ છંદ છે. .
(બ) માત્રામેળ છંદ : જ્યાં માત્રાઓના આધારે છંદની રચના થઈ હોય છે તેને માત્રામેળ છંદ કહે છે. એટલે કે ગણતરી કરવાથી જે છંદના પ્રત્યેક ચરણમાં માત્રાઓની સંખ્યા નિયમિત અને નિશ્ચિત હોય અને અક્ષરોની સંખ્યા પર આધાર રાખવામાં આવ્યો ન હોય તે છંદને માત્રામેળ છંદ કહે છે.
(ક) ગેય છંદ : આ છંદમાં માત્રા ઉપર કે વર્ષોની સંખ્યા ઉપર પણ આધાર રાખવામાં આવતો નથી. પરંતુ માત્ર લય ઉપર જ આધાર રાખવામાં આવે છે.
અક્ષરમેળ અને માત્રામેળ છંદના ત્રણ ત્રણ પેટા પ્રકારો છે.
ચરણ કે પદ : દરેક છંદ કેટલીક પંક્તિઓનો સમૂહ હોય છે. જેમકે, રોળા છંદમાં ચાર પંક્તિઓ હોય છે. આ પંક્તિઓને ચરણ કે પદ કહે છે. સામાન્ય રીતે દરેક છંદના ચાર ભાગ કે ચાર પંક્તિઓ કે ચાર ચરણ હોય છે. પરંતુ કુંડલિયા, છપ્પય વગેરે છંદોમાં ચાર કરતાં અધિક ચરણ પણ હોય છે. દોહા, સોરઠા વગેરે છંદોમાં બે જ ચરણ હોય છે. આ છંદોના પ્રત્યેક ચરણને ‘દલ કહે છે.
માત્રા : કોઈ સ્વરના ઉચ્ચારણમાં જે સમય લાગે છે તે અવધિસમયને માત્રો કહે છે. જે સમય હૃસ્વના ઉચ્ચારણમાં લાગે છે તેની એક માત્રા માનવામાં આવે છે અને દીર્ઘ સ્વરોના ઉચ્ચારણમાં જે સમય લાગે છે તેની બે માત્રા માનવામાં આવે છે. આ રીતે હ્રસ્વ સ્વર , ૩