________________
૧૭. ધાતુ-ક્રિયાપદ : પ્રકાર
આ દુનિયામાં દરેક વ્યક્તિ કંઈ ને કંઈ ક્રિયા કરે છે. જેમકે (૧) હું પુસ્તક વાંચું છું. (૨) છોકરો દોડે છે. (૩) છોકરી નાચે છે. (૪) ખેડૂત હળ લઈને ખેતરે જાય છે. (૫) ગાય ચરે છે. (૬) કોકિલ કૂંજે છે. (૭) ફૂલ ખીલે છે. (૮) ગીતા ઊંઘે છે. (૯) બાળકો પ્રાર્થના બોલે છે. (૧૦) શિક્ષક વ્યાકરણ શીખવે છે.
ઉપરનાં બધાં વાક્યોમાં કાળા મોટા શબ્દો કંઈ ને કંઈ ક્રિયા થતી હોય તેનું સૂચન કરે છે. ‘ગીતા ઊંઘે છે.’માં પણ ઊંઘવાની ક્રિયા થાય છે.
ક્રિયા બતાવનાર પદને ક્રિયાપદ કહે છે. વાક્યમાં ક્રિયાપદ ખૂબ જ અગત્યનું પદ છે. એના વિના પૂરું વાક્ય બને નહિ અથવા વાક્યનો પૂરેપૂરો અર્થ સમજાય નહિ. ટૂંકમાં, જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તે ક્રિયાપદ.
પ્રકાર :
:
ક્રિયાપદના બે પ્રકાર છે : સકર્મક અને અકર્મક. (અ) સકર્મક ક્રિયાપદ : નીચેનાં વાક્યો જુઓ : (૧) મીરા લાડુ ખાય છે. (૨) હું પાઠ વાંચું છું. (૩) સૂરજ પ્રકાશ આપે છે.
કહેવાય.
ઉપરનાં વાક્યોમાં બધાં ક્રિયાપદોમાં લાડુ, પાઠ, પ્રકાશ, નિબંધ, ફળ એ બધાં કર્મ છે. જે ક્રિયાપદને કર્મ હોય તે ક્રિયાપદ સકર્મક (સ+કર્મ=કર્યુ સાથેનાં) ક્રિયાપદ (બ) અકર્મક ક્રિયાપદ : નીચેનાં વાક્યો જુઓ : (૧) મેઘ ગાજે છે. (૨) મોર નાચે છે. (૩) પવન વાય છે.
૧૧૨
(૪) અમે નિબંધ લખીશું. (૫) બા ફળ લાવે છે.
(૪) ફૂલ ખીલ્યું છે. (૫) બાળક હસે છે.