________________
૧૫.ક્રિયાપદ(ધાતુ) તેનાકાળ,અર્થઅને પ્રયોગ ક્રિયાપદના કાળ :
નીચેનાં વાક્યોનાં ક્રિયાપદો તપાસો : (૧) નેહ ચિત્ર દોરે છે. (૧) નેહે ચિત્ર દોર્યું છે–દોરેલું છે. (૨) શૈલ પત્ર લખતો હતો. (૨) શૈલે પત્ર લખ્યો છે–લખેલો છે. (૩) ઋષિ ભજન ગાતો હશે. (૩) ઋષિએ ભજન ગાયાં હશે
ગાયેલાં હશે. અહીં ‘ક’ વિભાગનાં વાક્યોમાં ક્રિયાપદો અનુક્રમે વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળમાં ક્રિયા અપૂર્ણ, એટલે કે ચાલુ રહેલી, બતાવે છે.
જ્યારે “ખ” વિભાગનાં વાક્યોમાં ક્રિયાપદો જે તે કાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે એમ સૂચવે છે. તેમાંયે દોરેલું. ‘લખેલો' અને “ગાયેલાં' એ રૂપ દૂરના સમયમાં ક્રિયા થઈ છે એમ બતાવે છે, અને “દોર્યું. “લખ્યો અને ગાયાં એ રૂપો નજીકના સમયમાં ક્રિયા થયાનું સૂચવે છે. આ રીતે નજીકનો સમય દર્શાવનારાં એટલે કે અદ્યતન કે પ્રથમ પૂર્ણ અને દૂરનો સમય બતાવનારાં એટલે કે અનદ્યતને કે દ્વિતીય પૂર્ણ રૂપો ત્રણે કાળમાં આવે છે.
હવે આ ત્રણ વાક્યો જુઓ : (૧) રામ વનમાં જવાના છે. • (૨) ભરત વનમાં જનાર છે. (૩) સીતાને વનમાં જવું હશે.
આ વાક્યોમાં વપરાયેલ ક્રિયાપદ કર્તાની ક્રિયા કરવાની ઇચ્છા દર્શાવે છે. “જવાના', “જનાર” કે “જવું એ “જા ધાતુનું ઇચ્છાવાચક રૂપ છે. બધાં ક્રિયાપદોનાં ત્રણ કાળનાં આવાં ઇચ્છાવાચક રૂપો બને છે.
આમ, બધાં જ ક્રિયાપદોનાં દરેક કાળનાં અપૂર્ણ, પ્રથમ પૂર્ણ, દ્વિતીય પૂર્ણ અને ઇચ્છાવાચક એમ ચાર પ્રકારનાં રૂપો થાય છે.
નીચેનાં બે વાક્યો જુઓ : (૧) કવિ કવિતા રચે. . . (૨) કવિ કવિતા રચે છે.
- ૯૩