SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થી માટે સરલ અને સુબોધ શૈલી જોવાતી નથી. આ ભાવાનુવાદ ગ્રન્થ આ ખોટને પૂરી પાડે છે. એકંદર આ ભાવાનુવાદ વિદ્યાથીને રાચિકર બનશે એમાં સંદેહ નથી. વિદ્યાથીઓ ઘણા સમયથી આવા ભાવાનુવાદની રાહ જોઈ રહ્યા હતા. તે તેમને પ્રાપ્ત થવાથી અભ્યાસની દિશા સલ બનશે એમ લાગે છે. ખરેખર આ પુસ્તક વ્યાકરણમાં પ્રવેશ કરનાર બાલોને વ્યાકરણના અવબોધ બનવામાં સાર્થક બનરો એમાં કઈ શંકા નથી. આ ગ્રન્થની પ્રથમવૃત્તિ પૂજ્યશ્રીએ પોતાના વિદ્યાર્થીકાલ દરમ્યાન પ્રકાશિત કરેલ, જે હાલમાં અપ્રાપ્ય બનતા ભણનાર વિદ્યાર્થીની માગણી થતાં આ સુધારા વધારા સાથેની આખ્યાત પ્રકરણ પર્વતને પ્રથમભાગરૂપ દિતીયાવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. આ પ્રન્થના રચયિતા પૂત્યથીએ વ્યાકરણ પિપાસુઓ માટે આવું અપૂર્વ સાધન સમપ જ્ઞાન ભક્તિ ને પ્રદર્શિત કરેલ છે. આશા રાખીએ કે આગળનો દ્વિતીયભાગ પણ જલદીથી આ રીતે પ્રકાશિત થાય અને વ્યાકરણપિપાસુઓ તેને સુંદર લાભ લે એ જ શુભેચ્છા. આ પ્રસ્તુત ગ્રન્થના મુદ્રણકાર્યના સહાયકેને સદુપદેશ આપનાર પ. પૂ. ભક્તિપરાયણ વિજયવંત મુનિરાજ શ્રીવિવેકવિજયજી મ. સા. પણ આ સ્થળે યાદ કરી અમારા આ કાર્યમાં સંપૂર્ણ પણે સહાયક બનેલ છે. એ માટે અમે તેઓશ્રીના આભારી છીયે. અંતે આ ગ્રન્થના ગૂર્જરભાષાનુવાદ કર્તા પુ. આચાર્યશ્રીને આંખની તકલીફને કારણે તથા પ્રસ ટેપથી કોઈ ભૂલ રહી જવા પામી હોય તે અભ્યાસી તેને સાન્તવ્ય ગણી સુધારી લેવા વિનંતિ છે. પ્રકાશક
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy