________________
વિદ્યાર્થી માટે સરલ અને સુબોધ શૈલી જોવાતી નથી. આ ભાવાનુવાદ ગ્રન્થ આ ખોટને પૂરી પાડે છે. એકંદર આ ભાવાનુવાદ વિદ્યાથીને રાચિકર બનશે એમાં સંદેહ નથી. વિદ્યાથીઓ ઘણા સમયથી આવા ભાવાનુવાદની રાહ જોઈ રહ્યા હતા. તે તેમને પ્રાપ્ત થવાથી અભ્યાસની દિશા સલ બનશે એમ લાગે છે. ખરેખર આ પુસ્તક વ્યાકરણમાં પ્રવેશ કરનાર બાલોને વ્યાકરણના અવબોધ બનવામાં સાર્થક બનરો એમાં કઈ શંકા નથી.
આ ગ્રન્થની પ્રથમવૃત્તિ પૂજ્યશ્રીએ પોતાના વિદ્યાર્થીકાલ દરમ્યાન પ્રકાશિત કરેલ, જે હાલમાં અપ્રાપ્ય બનતા ભણનાર વિદ્યાર્થીની માગણી થતાં આ સુધારા વધારા સાથેની આખ્યાત પ્રકરણ પર્વતને પ્રથમભાગરૂપ દિતીયાવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. આ પ્રન્થના રચયિતા પૂત્યથીએ વ્યાકરણ પિપાસુઓ માટે આવું અપૂર્વ સાધન સમપ જ્ઞાન ભક્તિ ને પ્રદર્શિત કરેલ છે. આશા રાખીએ કે આગળનો દ્વિતીયભાગ પણ જલદીથી આ રીતે પ્રકાશિત થાય અને વ્યાકરણપિપાસુઓ તેને સુંદર લાભ લે એ જ શુભેચ્છા.
આ પ્રસ્તુત ગ્રન્થના મુદ્રણકાર્યના સહાયકેને સદુપદેશ આપનાર પ. પૂ. ભક્તિપરાયણ વિજયવંત મુનિરાજ શ્રીવિવેકવિજયજી મ. સા. પણ આ સ્થળે યાદ કરી અમારા આ કાર્યમાં સંપૂર્ણ પણે સહાયક બનેલ છે. એ માટે અમે તેઓશ્રીના આભારી છીયે.
અંતે આ ગ્રન્થના ગૂર્જરભાષાનુવાદ કર્તા પુ. આચાર્યશ્રીને આંખની તકલીફને કારણે તથા પ્રસ ટેપથી કોઈ ભૂલ રહી જવા પામી હોય તે અભ્યાસી તેને સાન્તવ્ય ગણી સુધારી લેવા વિનંતિ છે.
પ્રકાશક