________________
પ્રકાંડ વિદ્વાન હતા . આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબ વ્યાકરણના પ્રકાડ વિદ્વાન હોવા ઉપરાંત ખુબ જ વ્યવહાર અને પ્રતિભા સંપન્ન હતાં. વિ. સં. ૧૯૯૦ નું સાધુ સંમેલન લગભગ તેત્રીસ દિવસ ચાલ્યું, આ સમયમાં બરની બેઠકમાં કઈ કઈ વાર 9. શાસનસમ્રા આચાર્ય ભગવંત ન આવી શકે ત્યારે તેમનું પ્રતિનિધિત્વ પુ. આચાર્ય દેવ શ્રીવિજયલાવયસૂરીશ્વરજી મહારાજ સંભાળતા તે મેં નજરે નિહાળ્યું છે.
આવા પ્રતિભા સંપન્ન પુ. આચાર્યદેવ શ્રીવિજયલાવણ્ય સૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં આ બાલાવબોધિની ગ્રન્થ ગ્રન્થકર્તા છે. આચાર્ય શ્રીવિજય મહિમાપ્રભસૂરીશ્વરજી મહારાજે પિતાના અભ્યાસકાળ દરમ્યાન બનાવેલ અને પ્રકાશિત કરેલ. પરંતુ હાલમાં અપ્રાપ્ય બનતા નવેસરથી નિર્માણ કરેલ છે. આ ગ્રન્થ વૃત્તિ સહિત સિદ્ધહેમ કરનારાઓ માટે જેટલું પ્રવેશ માટે ઉપયોગી છે, તેટલા જ કદાચ સંયોગવશાત આગળ અભ્યાસ ન કરી શકે તે પણ આને અભ્યાસ દ્વારા સારી રીતે સંસ્કૃત સાહિત્યમાં પ્રવેશ કરી શકશે. - વર્ષ પહેલા શેઠ અણદજી કલ્યાણજીની પેઢીઠારા પૂ. મુનિરાજથી હિમાંશુ વિજયજીએ પરિશ્રમ પૂર્વક તૈયાર કરેલ શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન (લઘુવૃત્તિ) મારાધારા મુકિત કરવામાં આવેલ, ત્યારબાદ થોડાક સમય પછી પઠનને વ્યાસંગ છૂટી ગયેલ અને અત્યારે તે સાવ વ્યાકરણ જ્ઞાનથી વિસ્મૃિત થયેલ તેવા સમયે મને આ પ્રસ્તાવનનું કાર્ય
પી પૂર્વ વિદ્યા વ્યાસંગનું સ્મરણ કરાવવા દ્વારા આચાર્યદેવ શ્રીવિજયમહિમાપ્રભસૂરીશ્વરજી મહારાજે મારા ઉપર ઉપકાર કરેલ છે. તે બદલ તેઓશ્રી ને આભાર માનું છું.
વૃત્તિ સહિત સિદ્ધહેમશબ્દાનુશાસન ભણનારા વિરલ બનતાં જાય